ટાટા ગ્રુપના ઑટો સેક્ટરમાં કારોબાર કરવા વાળી ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2023માં ત્રીજા ક્વાર્ટરમાં સારા પરિણામ રજુ કર્યા છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા મોટર્સનો નફો વધીને 2,957.7 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા મોટર્સની આવક 22.5 ટકા વધીને 88,488.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં ટાટા મોટર્સના એબિટડા 7078 રૂપિયાથી વધીને 10820.2 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટાટા મોટર્સના એબિટ માર્જિન 9.4 ટકાથી વધીને 10 ટકા રહ્યા છે.
બે વર્ષ બાદ કંપનીએ નફો નોંધાવ્યો. Q3FY23માં JLR 490 મિલિયિન પાઉન્ડનો પોઝિટિવ કેશ ફ્લો આવ્યો. JLR EBIT 1.4%થી વધીને 3.7% પર પહોંચ્યા. સારા સપ્લાય, મજબૂત મોડલ મિક્સ અને કિંમતને કારણે અર્નિંગ્સને ટેકો છે. વૈશ્વિક અનિશ્ચિતતા છતાં માગની સ્થિતિ અંગે કંપની સતર્કતાની સાથે આશાવાદી છે. પરિણામોની બાદ દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝે સ્ટૉક પર પોતાના રેટિંગ્સ રજુ કર્યા છે. જાણો ક્યા બ્રોકરેજ હાઉસએ કેટલી આપી ટ્રર્ગેટ પ્રાઈઝ -
આજે 27 જાન્યુઆરીના સવારે 10.21 વાગ્યે ટાટા મોટર્સના સ્ટૉક એનએસઈ પર 6.13 ટકા એટલે કે 25.70 રૂપિયા વધીને 444.90 રૂપિયાના સ્તર પર કારોબાર કરતા જોવામાં આવ્યા.
Bajaj Auto ના પરિણામ બાદ સ્ટૉકમાં વધારો, જાણો બ્રોકરેજ હાઉસિઝની શું છે આગળ રણનીતિ
Brokerage On Tata Motors
Nomura On Tata Motors -
નોમુરાએ ટાટા મોટર્સ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 508 રૂપિયા આપ્યો છે. તેમનું કહેવુ છે કે બધા સેગ્મેન્ટમાં Q3માં માર્જિન સુધર્યા. ચિપ સપ્લાય વધવાથી JLRને ફાયદો થયો. FY24 સુધી JLR Q4 વોલ્યુમ 85,000 સુધી વધી શકે. FY23-25 સુધી JLR માટે અનુમાન 3.67 લાખ-4.70 લાખ યથાવત્ છે. FY23-25 સુધી JLR માટે અનુમાન 3.67 લાખ-4.70 લાખ યથાવત્ છે.
Jefferies On Tata Motors -
જેફરીઝે ટાટા મોટર્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર તેમણે લક્ષ્યાંક ₹565 ના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA વધીને 7 ત્રિમાસિકના ઉપલા સ્તરે રહ્યા છે. તેમનું કહેવુ છે કે અનુમાન કરતા EBITDA 25% વધારે રહ્યા છે. સારા મિક્સ અને પ્રાઇસિંગના કારણે ભારતમાં CVsનું વેચાણ વધ્યું છે. કંપનીની ઓર્ડર બૂક મજબૂત છે. FY24-25 માટે EPS અનુમાન 3-5% વધાર્યું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.