જેપી મૉર્ગને કોલ ઈન્ડિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹285 પ્રતિ શેરથી વધારી ₹290 પ્રતિ શેર કર્યો.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
કોલ ઈન્ડિયા પર જેપી મૉર્ગન
જેપી મૉર્ગને કોલ ઈન્ડિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹285 પ્રતિ શેરથી વધારી ₹290 પ્રતિ શેર કર્યો. આગળ તેમનું કહેવુ છે કે FSA કોલસાના ભાવમાં વધારો થવાની અપેક્ષા છે. કંપનીએ 18 જાન્યુઆરીએ કિંમત વધારી હતી. કંપની હજુ ભાવ વધારો કરશે તેવી અપેક્ષા છે. છેલ્લા 2 વર્ષમાં કંપનીમાં ફોરેન શેરહોલ્ડિંગ વધ્યુ છે.
જસ્ટ ડાયલ પર સિટી
સિટીએ જસ્ટ ડાયલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹815 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 કોર બિઝનેસ મોમેન્ટમ ટકાવી રાખ્યો છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં એકસ-કેશ વેલ્યુએશન 9 ગણો થવાની અપેક્ષા છે. FY23-25માં CAGR 14% થવાની અપેક્ષા છે.
ઝોમેટો પર UBS
UBS એ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹90 પ્રતિશેરથી ઘટાડીને ₹80 પ્રતિશેર કર્યો છે. આગળ તેમણે કહ્યુ કે બેટર ટેક રેટ અને હાઇપરપ્યુર રેવન્યુને કારણે આવક ઘટવાની આશંકા છે. લોન્ગ ટર્મ EBITDAમાં 11-16% ના ઘટાડાની આશંકા છે.
ટાઈટન પર કોટક
કોટકે ટાઈટન પર ADD ના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2700 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ L2/L3 L3 ફ્રેન્ચાઇઝનું કમિશન ઘટાડ્યુ. સ્ટોર લેવલ ઓપરેશનનો ખર્ચ ઘટાડવા અને આવક વધારવા કમિશન ઘટાડ્યુ છે. સોનાની કિંમત વધવાથી માંગ ઘટી જેની અસર નજીકના ટર્મ ગ્રોથ પર જોવા મળશે.
યુનાટેડ સ્પિરિટ્સ પર મેક્વારી
મેક્વારીએ યુનાટેડ સ્પિરિટ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹650 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે નવી દિલ્હીમાં પેર્નોડ રિકાર્ડના લાઇસન્સ રિન્યૂને મંજૂરી મળી નહીં. ઈનપુટ ખર્ચ વધવાથી માર્જિન પર અસર જોવા મળશે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)