Budget 2023: કેન્દ્રીય બજેટ 2023-24માં સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે, જે હાલમાં 2.5 લાખ રૂપિયા છે. IANS એ સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જો આમ થશે તો કરદાતાઓ એટલે કે કસ્ટમર્સના હાથમાં ખર્ચ માટે વધુ પૈસા બચશે. સૂત્રોએ જણાવ્યું કે જ્યાં વપરાશ વધશે ત્યાં આર્થિક વિકાસને પણ વેગ મળશે. અત્યારે 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
વરિષ્ઠ નાગરિકો માટે કર મર્યાદા
હાલમાં, 60-80 વર્ષની વય જૂથના લોકો માટે કર મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયા છે. તે જ સમયે, 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે, આ મર્યાદા 5 લાખ રૂપિયા છે. સૂત્રોએ જણાવ્યું કે સરકારના આ પગલાથી રોકાણને પ્રોત્સાહન મળશે.
કરદાતાઓને સરકાર પાસેથી આ અપેક્ષાઓ
80C હેઠળ મુક્તિની મર્યાદામાં વધારો: તમામ નોકરી કરતા કર્મચારીઓ બજેટ માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને આ સૂચન આપી રહ્યા છે કે સરકારે 80C હેઠળ ઉપલબ્ધ મુક્તિ મર્યાદા વધારવી જોઈએ. સરકારે ઘણા વર્ષોથી 80C માટે કોઈ ચોક્કસ જાહેરાત કરી નથી. તમામ કરદાતાઓ અને પગારદાર વ્યક્તિઓ 80C હેઠળ ટેક્સમાં રૂ. 1.50ની છૂટ મેળવવા માટે કર બચત ઓપ્શનમાં રોકાણ કરે છે. નોકરીયાત લોકો આ મર્યાદા 1.50 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે.
કરમુક્ત આવક વધારવી જોઈએ: ટેક્સ નિષ્ણાતોના મતે, પગારદાર કરદાતાઓ માટે 2.50 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. સરકારે આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવી જોઈએ. કોવિડ પછી, બચતની જરૂરિયાત સૌથી વધુ વધી છે.
મહત્તમ ટેક્સ સ્લેબ ઘટાડવો જોઈએ: આવકવેરામાં મહત્તમ ટેક્સ સ્લેબ પરનો ટેક્સ ઘટાડીને 25 ટકા કરવો જોઈએ કારણ કે હાલમાં સર્વોચ્ચ ટેક્સ સ્લેબ 42.74 ટકા છે જેમાં સરચાર્જ અને સેસનો સમાવેશ થાય છે. સરકારે વધુમાં વધુ ટેક્સ સ્લેબ ઘટાડવાની પણ જરૂર છે. તમામ કરદાતાઓને આશા છે કે સરકાર 1લી ફેબ્રુઆરીએ સામાન્ય કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરશે.