Union Budget 2023 : છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વ્યાજદરોમાં અનેકવિધ વધારાથી ખાસ કરીને એવા દેવાદારોને અસર થઈ છે જેમણે ફ્લોટિંગ રેટ પર હોમ લોન જેવી લોન લીધી છે. જો કે, હજુ પણ આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધુ વધારો થવાની આશંકા છે. આવી સ્થિતિમાં, ઘર ખરીદનારાઓ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પાસેથી સામાન્ય બજેટ 2023 માં થોડી રાહતની આશા રાખી રહ્યા છે. ઘર ખરીદનારાઓને બજેટમાંથી શું જોઈએ છે?
હોમ લોનના વ્યાજ પર વધે ટેક્સ ડિડ્કશન
હાલમાં, ઘર ખરીદનારા આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 24B હેઠળ હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર કપાતનો દાવો કરી શકે છે. સ્વ-કબજાવાળી મિલકત માટે નાણાકીય વર્ષમાં મહત્તમ કપાત 2 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં સેક્શન 24B હેઠળ હોમ લોનના વ્યાજ પર ટેક્સ રિબેટ વધારવી જોઈએ. આ ખાસ કરીને એફોર્ડેબલ સેગમેન્ટમાં હાઉસિંગની માંગમાં વધારો કરશે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2016-17થી આ મહત્તમ કપાત મર્યાદા જાળવી રાખવામાં આવી છે.
હાઉસિંગ લોનની મૂળ રકમ પર ટેક્સ ડિડ્કશન માટે અલગ વિભાગ
ઘર ખરીદનારાઓ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ તેમની હોમ લોનની મુખ્ય ચુકવણી પર આવકવેરા કપાતનો દાવો કરી શકે છે. આ હેઠળ, નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાની કપાતનો દાવો કરી શકાય છે. જો કે, કલમ 80C હેઠળ, PPF, ELSS, જીવન વીમા પ્રીમિયમ અને સુકન્યા સમૃદ્ધિ ખાતું તેમાં ઉમેરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સેક્શન 80C હેઠળ ટેક્સ કપાતની મર્યાદા વધારવી હોમ લોન લેનારાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એફોર્ડેબલ હાઉસિંગ પ્રાઇસ બેન્ડમાં ફેરફાર
હાલમાં, રૂ. 45 લાખની પ્રાઇસ બેન્ડ એફોર્ડેબલ હાઉસિંગ તરીકે ગણવામાં આવે છે. જો કે, નિષ્ણાતોને લાગે છે કે હાલના રૂ. 45 લાખનો પ્રાઇસ બેન્ડ એફોર્ડેબલ હાઉસિંગ તરીકે ગણવામાં આવે છે તે ભારતના ઘણા શહેરો માટે યોગ્ય નથી. તેને વધારીને રૂ. 75 લાખ કે તેથી વધુ કરવી જોઈએ.
કેપિટલ ગેન્સના નિયમોમાં સુગમતા
Income-tax Actની કલમ 54 હેઠળ, હાલના મકાનના વેચાણ પર લાંબા ગાળાના મૂડી લાભનો ઉપયોગ નવી મિલકતની ખરીદી અથવા બાંધકામ માટે કરી શકાય છે. જો મુક્તિના હેતુથી બાંધકામ હેઠળની મિલકતમાં રોકાણ કરવામાં આવ્યું હોય, તો તે મકાનના વેચાણના ત્રણ વર્ષમાં મિલકતનું બાંધકામ પૂર્ણ થાય તો જ તેનો દાવો કરી શકાય છે.
નિષ્ણાતોના મતે, રહેણાંક પ્રોજેક્ટ્સમાં એકમોની સંખ્યા, ઊંચાઈ અને સુવિધાઓ વધી રહી છે, જેના કારણે બાંધકામ પૂર્ણ થવાની સમયરેખા વધી રહી છે. આવી બાંધકામ હેઠળની મિલકતોની સમયમર્યાદા વધી રહી છે. તેથી, આ જટિલતાઓને દૂર કરવાની જરૂર છે. આવા મૂડી લાભમાં, આ ત્રણ વર્ષની સમયરેખા લંબાવવાની જરૂર છે.