ગુવારમાં લાંબા સમય સુધી મંદી રહ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી તેજીનો માહોલ પકડાઈ રહ્યો છે.
આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ વધારે રહ્યું, જ્યાં ઘઉંની તેજી રોકવા સરકાર તરફથી અલગ-અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક ખરીફ વાવણીની આંકડાઓની અસર કિંમતો પર જોવા મળી છે, આ બધાની વચ્ચે કૉટન માટે આ સપ્તાહે સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે કૉટનમાં ક્વાલિટી કન્ટ્રોલનું અમલીકરણ 3 મહિના પાછળ લંબાવવામાં આવ્યું, આ બધાની વચ્ચે ગુવાર પેકમાં પણ આ સમગ્ર સપ્તાહ દરમિયાન ઘણી સારી અપર સર્કિટ સાથેની એક્શન જોવા મળી છે. કૉટન પર ક્વાલિટી કન્ટ્રોલના શું છે નવા નિયમો અને આથી શું ફાયદાઓ થશે.
કોટનના ક્વોલિટી કંટ્રોલ માટે સરકાર દ્વારા નવા નિયમો કાયદા લાવવામાં આવી રહ્યાં છે. કોટન માટે BIS સર્ટિફિકેશન લાગુ કરવામાં આવી રહ્યું છે. પહેલા 28 ઓગષ્ટથી લાગુ કરવાની વાત હતી પરંતુ ઇન્ડ્સ્ટ્રી લગભગ આને માટે તૈયાર નથી. તો હાલ સમયસીમા વધારી 27 નવેમ્બર સુધી વધારવામાં આવી છે.
કૉટન પર સરકારનો મોટો નિર્ણય
સરકારે વધારી QCOની તારીખ. QCOની તારીખ વધારી 27 નવેમ્બર કરવામાં આવી. હવે 27 નવેમ્બરથી લાગૂ થશે કૉટન પર QCO. 27 નવેમ્બરથી લાગૂ થશે કૉટન બેલ્સ પર QCO. પહેલા 28 ઓગસ્ટથી QCO લાગૂ થવાનું હતું. QCO એટલે ક્વાલિટી કન્ટ્રોલ ઓર્ડર 2023 છે.
QCOમાં શું થશે?
કૉટન બેલ્સના ક્વાલિટીની તપાસ થશે. ક્વાલિટીને BISના નિયમો પર પરખવામાં આવશે. ઇન્ડસ્ટ્રીને BISથી ક્વાલિટી સર્ટિફિકેટ મળશે. ઇન્ટરનેશનલ માનકોના આધારે નિયમો નક્કી થયા છે.
BISથી સર્ટિફિકેટનો શું ફાયદો?
વેલ્યૂ ચેનને ફાયદો થશે. વેલ્યૂ ચેનમાં સુધારો થશે. ઉત્પાદનને વધારો મળશે. બ્રાન્ડિંગથી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. એક્સપોર્ટને વધારો મળશે.
કૉટનમાં કારોબાર
આ મહિને કિંમતો 7.5% વધતી દેખાઈ. આ મહિને કૉટનની વાવણીમાં YoY ધોરણે 1.15%નો ઘટાડો નોંધાયો. આ વર્ષે ગુજરાતમાં કૉટનની વાવણી 9 વર્ષમાં સૌથી વધુ રહી. ગુજરાતમાં 26 લાખ હેક્ટરમાં કૉટનની વાવણી થઈ. રાજસ્થાન, MP અને હરિયાણામાં કૉટનની વાવણીમાં વધારો. કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં કૉટનની વાવણી ઘટી.
ગુવારમાં લાંબા સમય સુધી મંદી રહ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી તેજીનો માહોલ પકડાઈ રહ્યો છે.
ગુવાર પેકમાં કારોબાર
આ સપ્તાહે ગુવારસીડ, ગુવારગમમાં અપર સર્કિટ જોવા મળી. ગુવારસીડનો ભાવ 6000 રૂપિયાના સ્તરની આસપાસ પહોંચતો દેખાયો. ગુવારગમનો ભાવ 12,300 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચતો દેખાયો. રાજસ્થાનમાં ગુવાર ઉત્પાદિત વિસ્તારોમાં વધુ વરસાદથી વાવેતર પર અસર છે. ગુવારગમની નિકાસ માગ વધતા તેજી આગળ વધતી દેખાઈ. આ વર્ષે રાજસ્થાનમાં વાવેતરમાં 6%નો ઘટાડો નોંધાઈ શકે. ગુવારગમની નિકાસમાં પણ વધારો નોંધાયો.