શું તમે અક્ષય તૃતીયાના દિવસે સોનામાં રોકાણ કરવા માગો છો, તો આ બાબતોને જાણવી જરૂરી - If you want to invest in gold on Akshaya Tritiya day, then these things are important to know | Moneycontrol Gujarati
Get App

શું તમે અક્ષય તૃતીયાના દિવસે સોનામાં રોકાણ કરવા માગો છો, તો આ બાબતોને જાણવી જરૂરી

Gold Outlook 2023: ભારતમાં સોનું ખરીદવું એ ખરાબ પરિસ્થિતિઓ માટે વીમો લેવા જેવું છે. હાલમાં વૈશ્વિક સ્થિતિ, મોંઘવારી અને વધતા વ્યાજદર જેવા પરિબળો આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો કરી શકે છે.

અપડેટેડ 04:11:23 PM Apr 22, 2023 પર
Story continues below Advertisement

આજે અક્ષય તૃતીયા (અખાત્રીજ) દેશભરમાં ઉજવવામાં આવશે. આજે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભૌતિક સોનાની ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને સોનું ખરીદવું જોઈએ.

જે રોકાણકારો એસેટ એલોકેશન વિશે ચિંતિત હોય છે તેઓ પણ તેમના રોકાણનો અમુક હિસ્સો સોનામાં રોકે છે.

વાસ્તવમાં સોનું એક એવી એસેટ એલોકેશન છે. જે અનિશ્ચિત સમયમાં સુરક્ષાની ખાતરી આપે છે. એવું માનવામાં આવે છે કે સોનામાં 10 થી 15 ટકા એસેટ એલોકેશન સારી છે. હાલમાં જ નાઈટ ફ્રેન્કના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અતિ ધનિકો પોતાની એસેટ એલોકેશનમાં સોનાને મહત્વ આપી રહ્યા છે.


સોનું સર્વોચ્ચ ટોચે!

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઈઓ ભારતના સોમસુંદરમ પીઆર માને છે કે આ વર્ષે અક્ષય તૃતીયા પર સોનું તેની સર્વોચ્ચ ટોચે જોવા મળી શકે છે.જો કે, એવી શક્યતા છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં સોના તરફ ગ્રાહકોનું ઓછું આકર્ષણ જોવા મળ્યું છે.

સોનાના દાગીના, સિક્કા અને બારમાં રોકાણની પસંદગી

સાહી બંધુના CEO અને કો-ફાઉન્ડર રાજેશ શેઠ કહે છે કે ભારતમાં સોનું ખરીદનારા ગ્રાહકો ઘણીવાર જ્વેલરી, સિક્કા અને બારને વધુ મહત્વ આપે છે. સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ભારતમાં સામાન્ય લોકોને 24 કેરેટ શુદ્ધતા અને 5, 10 અને 20 ગ્રામના 999 શુદ્ધતાના સિક્કા ઓફર કરવામાં આવે છે.

Gold Outlook

સોનાની આગામી ચાલ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા લેવામાં આવેલા પગલાઓ પરથી નક્કી થઈ શકે છે. એવી સંભાવના છે કે જૂન મહિના દરમિયાન યુએસ સેન્ટ્રલ બેન્ક લગભગ 50 બીપીએસ સુધી વધી શકે છે. જ્યારે મેના પ્રથમ સપ્તાહમાં 25 બીપીએસનો વધારો થવાની સંભાવના છે.

સોનામાં 12 ટકાથી વધુ રિટર્ન મળવાનો અંદાજ

જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિ ચાલી રહી છે. ખાસ કરીને સોનામાં લોકોના વધતા રોકાણ, સેન્ટ્રલ બેંકની માંગ અને ડૉલરાઇઝેશનને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. જેના કારણે સોનું 64740 રૂપિયા અને 66000-66500 રૂપિયા સુધી વધી શકે છે.

પાંચ વર્ષમાં સોનામાં મબલક રિટર્ન

વેન્ટેજના માર્કેટ એનાલિસ્ટ મોહમ્મદ અબુતરબ એ શેખના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે જે રીતે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ બદલાઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં સોનામાં વધારો જોવા મળી શકે છે. જેના કારણે આવનારા 5 વર્ષમાં સોનું એકઠું કરવાની દૃષ્ટિએ સારું સાબિત થઈ શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 22, 2023 4:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.