ડીઝલ અને ATFનું ઇમ્પોર્ટ થયું મોંઘું, સરકારે વિન્ડફોલ ટેક્સ વધાર્યો - centre hikes windfall tax on crude oil to rs 2100 from rs 1700 know the details | Moneycontrol Gujarati
Get App

ડીઝલ અને ATFનું ઇમ્પોર્ટ થયું મોંઘું, સરકારે વિન્ડફોલ ટેક્સ વધાર્યો

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઈલ અને એવિએશન ટર્બાઈન ઈંધણ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. તે નવેમ્બર મહિનામાં કાપવામાં આવ્યો હતો. ભારત સરકારે સૌપ્રથમ જુલાઈ 2022માં વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો.

અપડેટેડ 05:35:16 PM Jan 04, 2023 પર
Story continues below Advertisement

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઈલ અને એવિએશન ટર્બાઈન ઈંધણ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે. સ્થાનિક લેવલે ઉત્પાદિત કાચા તેલ પર પણ વિન્ડફોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે ટેક્સ રૂ. 1,700 ($20.55) થી વધારીને રૂ. 2,100 ($25.38) પ્રતિ ટન કર્યો છે. નવા દરો 3 જાન્યુઆરી મંગળવારથી લાગુ થઈ ગયા છે. સરકારે ડીઝલ પર નિકાસ કર 5 રૂપિયાથી વધારીને 7.5 રૂપિયા પ્રતિ લિટર કર્યો છે, જ્યારે ATF પરનો વિન્ડફોલ ટેક્સ 1.5 રૂપિયાથી વધીને 4.5 રૂપિયા પ્રતિ લિટર થયો છે.

લાસ્ટ ટાઇમ પણ થયો હતો કટ
તેના છેલ્લા ફેરફારમાં કેન્દ્ર સરકારે અણધારી રીતે ટેક્સ રૂ. 4,900 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 1,700 પ્રતિ ટન કર્યો હતો. પેટ્રોલ પર વિશેષ વધારાની આબકારી જકાત “Nil” પર યથાવત છે. ભારત વિશ્વના સૌથી મોટા તેલની આયાત કરતા દેશોમાંનો એક છે. રિપોર્ટ અનુસાર ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે.

વિન્ડફોલ ટેક્સ શું છે?
જુલાઈ 2022માં ભારત એવા દેશોમાં જોડાયું જેઓ ક્રૂડ ઓઈલ પ્રોડક્ટ પર વિન્ડફોલ ટેક્સ લાદીને ઊર્જા કંપનીઓના નફા પર ટેક્સ લગાવે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલ, ડીઝલ, એટીએફ જેવા રિફાઈનરી પ્રોડક્ટની કિંમતો સમયાંતરે વધઘટ થતી રહે છે. વિન્ડફોલ ટેક્સ એ એક ટેક્સ છે જે નિર્માતા પર ચોક્કસ મર્યાદાથી વધુ નફા પર લાદવામાં આવે છે.

શા માટે વિન્ડફોલ ટેક્સ છે?
જો વૈશ્વિક બજારમાં ડીઝલ, પેટ્રોલ અને એટીએફ વગેરેના ભાવ સ્થાનિક બજાર કરતા વધારે હોય તો રિફાઈનરીઓ નિકાસ વધારવાનું શરૂ કરે છે જેથી તેઓ વધુ નફો કરી શકે. આને રોકવા અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકાર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદે છે.

આ પણ વાંચો - દુનિયાભરમાં ભારતનો ડંકો, IMFના આ રિપોર્ટથી ચીન-અમેરિકા ચોંક્યા


જુલાઈમાં પ્રથમ વખત લાગુ કરવામાં આવ્યો હતો
આ જ ગણતરી કાચા તેલના કિસ્સામાં પણ લાગુ પડે છે. બીજી તરફ, જ્યારે વૈશ્વિક બજારમાં તેમની કિંમતો ઘટે છે, ત્યારે કંપનીઓ પોતે જ નિકાસ ઘટાડવાનું શરૂ કરે છે. જ્યારે આવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે સરકાર વિન્ડફોલ ટેક્સ ઘટાડવા અથવા દૂર કરવાનો નિર્ણય લે છે. ભારત સરકારે સૌપ્રથમ 1 જુલાઈ, 2022 ના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 04, 2023 12:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.