ફેડરલ બેન્કના ઈડી, આશુતોષ ખજુરીયાનું કહેવું છે કે પહેલા ત્રિમાસિકમાં નફો 604 કરોડ રૂપિયા રહ્યો હતો, ત્રીજા ત્રિમાસિકમાં નફો વધ્યો છે. રિટેલ, એગ્રી, SME સેક્ટરમાં સારી ગ્રોથ જોવા મળી રહી છે. ક્રિડિટ કાર્ડ અને પર્સનલ લોનમાં પણ ગ્રોથ વધ્યો છે. RBI દ્વારા વધું 25bpsના વ્યાજ દરમાં વધારો આવી શકે છે. આવનારા દિવસોમાં વ્યાજ દરમાં કાપની સંભાવના ઓછી છે.
આશુતોષ ખજુરીયાના મતે છેલ્લા 2-3 વર્ષોથી એગ્રી સેક્ટર તરફ ફોકસ વધાર્યું છે. હવે એગ્રી સેક્ટરમાં નફાના વિકલ્પોની શોધ ચાલી રહી છે. એગ્રી ગ્રોથ 16-20 ટકાની અંદર છે. પાક માટે એગ્રી ગોલ્ડ લોનની ગ્રોથ પણ સુઘરી છે. સરકારનું ફોકસ ક્રેડિટ ગ્રોથ વધારવા પર રહેવું જોઇએ. ફિસક્લ ગ્રોથ પર પણ સરકારે ફોકસ વધારવાની જરૂર છે. આવનારા સમયમાં રેટ કટની સંભાવના નથી જોવા મળી રહી.
આશુતોષ ખજુરીયાના મુજબ ભવિષ્યમાં આવું જો થાય તો ક્વાર્ટર 2 બાદ અનુમાન લગાવી શકે છે. યૂએસમાં અને યૂકેમાં પણ રિટેલ મોઘવારીમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. 21 ત્રિમાસિકમાં અસેટ ક્વૉલિટી ઘણી સારી રહી હતી. ક્વાર્ટર દર ક્વાર્ટકના આધાર પર જીએનપીએ રેશ્યો 2.46 ટકાની સામે 2.43 ટકા રહ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટકના આધાર પર એનએનપીએ રેશ્યો 0.78 ટકાની સામે 0.73 ટકા પર રહ્યો છે.
આશુતોષ ખજુરીયાના અનુસાર કંપનીનાં ગ્રોથમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. બેન્કનાં લોન બુકમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. લોનમાં પર્શનલ લોન, કાર લોન, અને હાઉસ લોનમાં ખોસો સુધારો જોવા મળ્યો છે. વ્યાજ દરનો વધારો કોસ્ટ પર દેખાવા લાગશે. એનઆઈએમ ઓલ ટાઈમ હાઈ પર રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટકના આધાર પર એનઆઈએમમાં 3.3 ટકાની સામે 3.49 ટકા પર રહ્યા છે.
આશુતોષ ખજુરીયાનું કહેવું છે કે ક્વાર્ટર દર ક્વાર્ટકના આધાર પર એનઆઈએમ 11.05 ટકાની સામે સુધરીને 27.14 ટકા પર રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટકના આધાર પર ROA 1.21 ટકાની સામે 1.33 ટકા પર રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટકના આધાર પર ROE 14.36 ટકાની સામે 15.91 ટકા પર રહ્યા છે.