અતુલ ઓટોના ફાઈનાન્સ પ્રેસિડેન્ટ, જીતેન્દ્ર અઢિયાનું કહેવું છે કે કોવિડ બાદથી ઑટો સેક્ટરનું પ્રદર્શન સુધર્યું છે. કોમોડિટીની કિંમતોમાં વધારો અને એક્સપોર્ટ ચિંતાઓની અસર સેક્ટર પર રહી છે. ઈવી વ્હિકલ માટે જરૂરી ઉપકરણો અને બિઝનેસને બૂસ્ટ આપવા પર ફોકસ રહેશે. ઑટો મેન્યુફેક્ચરર્સ માટે ઇમ્પોર્ટ ડ્યૂટીનાં માળખામાં ફેરફાર કરવાની જરૂર છે.
જીતેન્દ્ર અઢિયાનું કહેવું છે કે ભારતમાં ઈકો સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે. 3-વ્હિલર સેગમેન્ટને બૂસ્ટ આપતા નીતલા વર્ગના લોકોને રોજગારની તક મળશે. ઈવી સેગમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીના માર્જિનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના ગ્રોથમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. અમારા કંપની પર કોરોનીની અરસ જોવા મળી હતી. હાલમાં સ્થિતિ સારી જોવા મળી રહી છે. હાલ માર્કેટમાં ઘણા બધા સુધારા જોવા મળ્યા છે.
જીતેન્દ્ર અઢિયાનું કહેવું છે કે કંપનીમાં થ્રી વ્હીકલ સેક્ટરમાં નવું પ્રોડક્શન થતું જોવા મળી રહ્યો છે. સરકાર પણ ઑટો સેક્ટર તરફ થોડો ધ્યાન આપી રહી છે. અમારી કંપની મેક ઈન ઈન્ડિયા કંપની થઈ રહી છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ઇમ્પોર્ટ ડ્યૂટીમાં બેલેન્સ થવું જરૂરી છે. કંપનીમાં ઈવી વ્હિકલ માટે સારો સુધારો જોવા મળી રહી છે. કંપનીની થ્રી વ્હિલરના સેગમેન્ટથી ઘણા ગ્રાહકોને સારી આવક પણ મળી રહી છે.