જિંદલ સ્ટેનલેસના ગ્રુપ સીએફઓ, અનુરાગ મંત્રીનું કહેવું છે કે પરિણામ બાદ કંપની ફાઈનલ ડિવિડન્ડ જાહેર કરવા પર વિચાર કરશે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીનાં સ્ટેન્ડએલોન નફો 58 ટકા વધીને 568 કરોડ રૂપિયા પર રહી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીની સ્ટેન્ડએલોન આવક 5 ટકા વધીને 9073 કરોડ રૂપિયા પર રહી છે.
અનુરાગ મંત્રીએ આગળ કહ્યું કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીનો સ્ટેન્ડએલોન EBITDA 37 ટકા વધીને 951 કરોડ રૂપિયા પર રહી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 1 રૂપિયા પ્રતિ શેર સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીમાં ઘણા સમયથી મર્જર ચાલી રહ્યું હતું. કંપનીના મર્જિર બાદ ડિવિડેન્ડ જાહેર કરવામાં આવે, તેની કંપનીની આશા હતી.
અનુરાગ મંત્રીના અનુસાર કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો થતો દેખાઈ રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સુધારો થઈ રહ્યો છે. કંપનીનાં રેવેન્યુમાં પણ વધારો થઈ રહ્યો છે. કંપનીનાં માર્જિનમાં સારો વધારો થયો છે. કંપનીની ઑર્ડર બુક પણ સારી સુધરતી જોવા મળી રહી છે.