Nykaa Q1 Result: નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 27 ટકા ઘટીને 3.3 કરોડ, ડિમાન્ડમાં ઘટાડાની દેખાઈ અસર
Nykaaનો નાણાકીય વર્ષ 2024 ક્વાર્ટર 1 નો નફો વર્ષના આધાર પર લગભગ 27 ટકાના ઘટાડાની સાથે 3.3 કરોડ રૂપિયા પર આવી ગયો છે. પહેલા ક્વાર્ટર દરમિયાન બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થવાને કારણે કંપનીનો નફો ઘટ્યો હતો. જ્યારે ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીએ 4.6 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ દર્જ કર્યો હતો.
Nykaa Q1 Result: નાયકા (Nykaa) નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટર માટે તેના પરિણામ જાહેર કર્યા છે. ક્વાર્ટર દરમિયાન બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થવાને કારણે કંપનીનો નફો વર્ષના આધાર પર લગભગ 27 ટકાના ઘટાડાની સાથે 3.3 કરોડ રૂપિયા પર આવી ગયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 4.6 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ દર્જ કર્યો હતો. એફએસએનઈ ઈ-કૉમર્સ વેન્ચર (FSN Commerce Venture) સૌદર્ય અને વ્યક્તિગત રખરખાઉ કંપની નાયકાના સંચાલન કરે છે. મુંબઈમાં મુખ્યાલય વાળી કંપનીએ 7 જુલાઈએ એક પ્રદર્શન અપડેટ ફાઈલિંગમાં કહ્યું હતું કે મુદ્રાસ્ફીતિનું દબાણ ઓછું થવા શરૂ થઈ ગયો છે અને શહરી સેક્ટરમાં BPC કેટેગરીમાં વપરાશ મજબૂત બની છે. જો કે, પરિધાન ઈન્ડસ્ટ્રીઝ જેમાં નાયકા ફેશનની હાજરી છે, તે ખાસકરીને નાના શહેરોમાં પ્રભાવિત થયા છે. તેનું કારણે આ રહ્યું છે કે લોકોએ બિનજરૂરી ખર્ચામાં કાપ કર્યો છે.
ઑપરેશન્સથી કંપનીનું રેવેન્યૂ Q1FY24માં 1421.8 કરોડ રૂપિયા રહ્યા છે. જો કે છેલ્લા વર્ષના સમાન ક્વાર્ટરમાં દર્જ 1148.4 કરોડ રૂપિયાથી લગભગ 24 ટકાનો વધારો છે.
પહેલા ક્વાર્ટરમાં વધું ખર્ચ, વિશેષકર કર્મચારિયોથી સંબંધિત ખર્ચને કારણે નાયકાનો નફો ઘટી ગયો છે. જૂન ક્વાર્ટરમાં એમ્પૉઈ બેનિફિટ કૉસ્ટ 138.6 કરોડ રૂપિયા રહી હતી. જો કે નાયકા દ્વારા છેલ્લા નાણાકીય વર્ષના સમાન ગાળામાં ખર્ચ કર્યા 114.8 કરોડ રૂપિયાથી 22 ટકા વધી રહી છે.
Q4FY23માં નાયકાના કર્મચારી-સંબંધિત ખર્ચ 127.3 કરોડ રૂપિયા હતો.
કેવા રહ્યા Nykaaનો ક્વાર્ટરના આધાર પર પ્રદર્શન
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીનો નફો જાન્યુઆરી-માર્ચ ગાળામાં 2.4 કરોડ રૂપિયાથી લગભગ 38 ટકા વધીને જૂન ક્વાર્ટરમાં 3.3 કરોડ રૂપિયા થઈ ગયા છે. રેગુલેટર ફાઈલિંગથી તે ખૂર પડે છે.
ક્વાર્ટરના આધાર પર કંપનીનું રેવેન્યૂ Q4FY23માં 1301.7 કરોડ રૂપિયાથી વધીને Q1FY24માં 1421.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. જે લગભગ 10 ટકાનો વધારો દેખાય છે.
ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.