INDIAN SCIENCE CONGRESS: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ સંઘ (108th Indian Science Congress Association)ના 108મા સત્રના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. સાયન્સ કૉંગ્રેસના ઉદ્ઘાટન બાદ PM મોદીએ સ્ટાર્ટઅપના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, આજે ભારત સ્ટાર્ટઅપના મામલે વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સામેલ છે. વર્ષ 2015 સુધી, ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સના સંદર્ભમાં અમે 130 દેશોમાંથી 81મા ક્રમે હતા, પરંતુ વર્ષ 2022માં અમે 40મા સ્થાને પહોંચી ગયા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારતનો વૈજ્ઞાનિક સમુદાય 21મી સદીમાં ભારતને હંમેશા તે દરજ્જો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. PM મોદીએ કહ્યું, "ભારત આગામી 25 વર્ષમાં જે ઉંચાઈ પર હશે તેમાં ભારતની સાયટિસ્ટ પાવરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જ્યારે દેશની સેવા કરવાના સંકલ્પને વિજ્ઞાનમાં ઉત્સાહ સાથે જોડવામાં આવે છે, ત્યારે પરિણામો પણ અસાધારણ આવે છે."
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, "આજે ભારત Phdsની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ છે. આજે ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સંદર્ભમાં વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ છે." પીએમ મોદીએ કહ્યું કે આજનું ભારત જે વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધી રહ્યું છે, તેના પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ. ભારત વિજ્ઞાનના ક્ષેત્રમાં ઝડપથી વિશ્વના ટોચના દેશોમાંનો એક બની રહ્યું છે. 2015 સુધી, અમે 130 દેશોના ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈન્ડેક્સમાં 81મા નંબરે હતા અને 2022માં અમે 40મા નંબરે પહોંચ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે આજની 21મી સદીના ભારતમાં આપણી પાસે બે વસ્તુઓ છે - પ્રથમ ડેટા અને બીજી ટેકનોલોજી. આ બંનેમાં ભારતના વિજ્ઞાનને નવી ઊંચાઈઓ પર લઈ જવાની શક્તિ છે. ડેટા વિશ્લેષણનું સેક્ટર ઝડપી ગતિએ વધી રહ્યું છે. પીએમે કહ્યું કે આજે દેશની વિચારસરણી માત્ર એ જ નથી કે મહિલાઓને વિજ્ઞાન દ્વારા સશક્ત બનાવવી જોઈએ, પરંતુ વિજ્ઞાનને પણ મહિલાઓની ભાગીદારીથી સશક્ત બનાવવું જોઈએ. વિજ્ઞાન અને સંશોધનને નવી ગતિ આપો, આ અમારો ઉદ્દેશ્ય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતમાં વિજ્ઞાનનો વિકાસ એ આપણા વૈજ્ઞાનિક સમુદાયનું પ્રેરક બળ હોવું જોઈએ. ભારતમાં વિજ્ઞાન જ ભારતને આત્મનિર્ભર બનાવવું જોઈએ. ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં પીએમ મોદીએ કહ્યું કે આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિનો મોટો રોલ છે. કોવિડ-19ના કારણે બે વર્ષના અંતરાલ બાદ સમારોહ યોજાઈ રહ્યો છે.
છેલ્લી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ જાન્યુઆરી 2020માં બેંગલુરુમાં યોજાઈ હતી. રાષ્ટ્રસંત તુકોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં પાંચ દિવસીય 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આ વર્ષે તેની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરી રહી છે. છેલ્લા બે દાયકામાં આ પ્રથમ વખત બનશે કે વડાપ્રધાન વિવિધ સેક્ટરના ટોચના વૈજ્ઞાનિકોના મેળાવડામાં વ્યક્તિગત રીતે ભાગ લેશે નહીં. વડાપ્રધાન તેમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમને કારણે ઓનલાઈન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.