Fixed Deposit: ભારતીય અર્થવ્યવસ્થામાં વ્યાજદરમાં વધારો થવાથી છેલ્લા એક વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) આકર્ષક બની છે. મોટાભાગના લોકો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો એફડીમાં પૈસા રોકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે એફડીમાં પહેલા કરતા વધુ વળતર મળી રહ્યું છે. હવે જો નિષ્ણાંતોનું માનીએ તો વ્યાજદરમાં વધારાનો તબક્કો પૂરો થતો જણાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે હવે FDમાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે? અથવા મારે વધુ એક મહિના રાહ જોવી જોઈએ?
બેંકોએ મેથી અત્યાર સુધીમાં વ્યાજમાં વધારો કર્યો છે
મે 2022 થી, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 225 બેસિસ પોઈન્ટ્સ (bps) એટલે કે 2.25 ટકાનો વધારો કર્યો છે. RBIના રેપો રેટમાં વધારો કર્યા બાદ મોટાભાગની બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકોએ FD અને લોન બંનેના વ્યાજદરમાં વધારો કર્યો છે. FD પર વ્યાજ થાપણદારોની અપેક્ષા કરતાં વધુ વધ્યું છે. બેંક બજારના ડેટા અનુસાર, મે મહિનાથી અત્યાર સુધીમાં ઘણી બેંકોએ FD પરના વ્યાજમાં 130 થી 195 બેસિસ પોઈન્ટ એટલે કે 1.30 ટકાથી 1.95 ટકાનો વધારો કર્યો છે. રોકાણકારોને એક વર્ષથી 3 વર્ષ સુધીની FD પર આ વ્યાજ મળી રહ્યું છે.
શું FD પર વ્યાજ વધુ વધશે?
અત્યાર સુધી રોકાણકારોને ઊંચા વ્યાજનો લાભ મળતો હતો પરંતુ હવે નિષ્ણાતોનું માનીએ તો વ્યાજદરમાં વધારાનો અવકાશ ઓછો છે. કોર્પોરેટ ટ્રેનર (ડેટ) જોયદીપ સેને કહ્યું કે આગળ RBI રેપો રેટ માત્ર એક જ વાર વધારી શકે છે. ત્યારે બેંકો FDનું વ્યાજ વધારી શકે છે. સરકારે ગયા અઠવાડિયે નાની બચત યોજનાઓ પર વ્યાજમાં વધારો કર્યો છે. એક વર્ષની FD પરના દરો 110 બેસિસ પોઈન્ટ વધીને 6.60 ટકા થઈ ગયા છે. પાંચ વર્ષના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)ના દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 8 ટકા કરવામાં આવ્યો છે. પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રવર્તમાન વ્યાજ દરો પર તમારા પૈસા લોક કરવા માટે આ સારો સમય છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ?
નિષ્ણાતોના મતે, લાંબા ગાળા માટે એફડીમાં રોકાણ કરવાનો આ સારો સમય છે, પરંતુ એફડીમાં વધુ રોકાણ ન કરો. તમારા ટૂંકા ગાળાના ઇમરજન્સી ફંડને તમારી બેંક FDમાં રાખો અને કેટલાક પૈસા કોર્પોરેટ FDમાં રાખો. ઉચ્ચ વળતર માટે ક્રેડિટ જોખમ ન લો અને તમારી ક્ષમતા અનુસાર જોખમ લો.