Rama Ekadshi Diwali 2023: દિવાળી પહેલા રમા એકાદશી વ્રત રાખવામાં આવશે, જાણો વ્રતનું મહત્વ, તિથિ અને શુભ મુહૂર્ત
Rama Ekadashi 2023 Date: આ વ્રત કરવાથી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જાણો રમા એકાદશીની તારીખ, મુહૂર્ત અને મહત્વ.
રમા એકાદશીના દિવસે 9 નવેમ્બરના રોજ સવારે 06:39 થી 08 વાગ્યા સુધી પૂજા થશે.
Rama Ekadashi 2023 Date: દરવર્ષે કારતક માસની કૃષ્ણ પક્ષની એકાદશી(હિન્દી પંચાંગ)ની તિથિએ રમા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ એકાદશી ખુબ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આ દિવાળીથી માત્ર બે દિવસ પહેલા આવે છે. આ એકદાશીને રંભા એકાદશીના નામથી પણ ઓળખાય છે. એકદાશીના રોજ માન્યતા છે કે આ દિવસે વ્રત રાખી શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એની સાથે જ દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે સાથે જ મૃત્ય પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ રમા એકાદશીનું શુભ મુહૂર્ત, પારણા સમય અને મહત્વ.
રમા એકાદશી 2023 તિથિ
હિન્દુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 8 નવેમ્બર 2023ના રોજ સવારે 08:23 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે 9 નવેમ્બર 2023ના રોજ સવારે 10:41 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 9 નવેમ્બર 2023ના રોજ વ્રત રાખવામાં આવશે.
રમા એકાદશી 2023 પૂજા મુહૂર્ત
રમા એકાદશીના દિવસે 9 નવેમ્બરના રોજ સવારે 06:39 થી 08 વાગ્યા સુધી પૂજા થશે.
રમા એકાદશી પારણ સમય
રમા એકાદશીના પારણા 10 નવેમ્બર 2023ના રોજ કરવા. આ દિવસે તમે 06:39 am થી 08:50 amની વચ્ચે રહેશે.
શા માટે કહેવાય છે રમા એકાદશી?
તમને જણાવી દઈએ કે રમા એકાદશી ચાતુર્માસની છેલ્લી એકાદશી છે. આ પછી દેવઉઠી એકાદશી આવે છે. આ સાથે રમા એકાદશી દિવાળી પહેલા આવે છે. તેથી આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને રમાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેથી તેને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. તેનાથી સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે.
રમા એકાદશી 2023નું મહત્વ
રમા એકાદશી પુણ્ય કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય એકાદશીમાંની એક માનવામાં આવે છે. પદ્મ પુરાણ અનુસાર જે વ્યક્તિ સાચા મનથી રમા એકાદશીનું વ્રત કરે છે તે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. તેનાથી દરેક પ્રકારના પાપો અને સમસ્યાઓથી મુક્તિ મળે છે. તેનાથી વાજપેયી યજ્ઞ સમાન પરિણામ મળે છે.