ભારત દુનિયાનું નવું ગ્રોથ એન્જિન બની શકે, આપણે દુનિયાના 5મી સૌથી મોટી ઈલોનૉમી - શક્તિકાંત દાસ
RBI POLICY OUTCOME: આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે તહેવારોની સિઝનમાં વપરાશમાં વધુ તેજી આવી શકે છે. દેશમાં ડિમાન્ડની સ્થિતિ સારી રહી છે. નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-જૂન GDP ગ્રોથનો અનુમાન 6.6 ટકા રાખવામાં આવ્યો છે. જ્યારે, નાણાકીય વર્ષ 2024 માં GDP ગ્રોથ 6.5 ટકા રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં રિયલ GDP ગ્રોથ 8 ટકા પર રહેવાનો અનુમાન છે.
RBI POLICY OUTCOME: પૉલિસી પર RBI ગવર્નરની પ્રેસ કૉન્ફ્રેન્સ શરૂ થઈ છે. ઑગસ્ટની પૉલિસી પર બોલતા આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે અમારી ઇકોનૉમીમાં ગ્રોથ યથાવત છે. અમે દુનિયાની 5મીં મોટો ઈકોનૉમી છે. અમારી ઈકોનૉમી ફંડામેન્ટલ ઘણી સારી છે. ભારત દુનિયાના નવા ગ્રોથ એન્જિન બની શકે છે. તેમણે કહ્યું છે કે RBIએ તેના ઑગસ્ટ પોલિસી મીટમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. પોલિસી રેપો રેટ 6.50 ટકા પર યથાવત રાખી છે.
જુલાઈ-ઑગસ્ટમાં મોંઘવારી વધવાનો અનુમાન
આરબીઆઈ મૉનીટરી પૉલિસી કમેટીએ Withdrawal Of Accommodation Stance વલણ યથાવત છે. MSF અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત રાખી છે. SDF રેટ 6.25 ટકા પર યથાવત રાખઈ છે. જુલાઈ-ઑગસ્ટમાં મોંઘવારી વધવનો અનુમાન છે. આરબીઆઈ મોંઘવારી દર 4 ટકા પર લાવાને લઇને પ્રતિબધ્દ્ર છે. શાકભાજીના ભાવ વધવાથી મોંઘવારીમાં વધારો સંભવ છે.
નાણાકીય વર્ષ 2024 માટે GDP ગ્રોથ 6.5% રહેવાની આશા
આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે તહેવારોની સિઝનમાં વપરાશમાં વધુ તેજી આવી શકે છે. દેશમાં ડિમાન્ડની સ્થિતિ સારી રહી છે. નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-જૂન GDP ગ્રોથનો અનુમાન 6.6 ટકા રાખવામાં આવ્યો છે. જ્યારે, નાણાકીય વર્ષ 2024 માં GDP ગ્રોથ 6.5 ટકા રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં રિયલ GDP ગ્રોથ 8 ટકા પર રહેવાનો અનુમાન છે.
કોર મોંઘવારીમાં ઘટાડો આવ્યો
કોર મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ 2024માં રિટેલ મોંઘવારી 5.4 ટકા પર રહેવાનો અનુમાન છે. નાણાકીય વર્ષ 2024ના રિટેલ મોંઘવારી અનુમાન 5.1 ટકાથી વધીને 5.4 ટકા કરવામાં આવ્યો છે. FY24 Q2ના રિટેલ મોંઘવારી દર અનુમાન 6.2 ટકા કરવામાં આવ્યા છે. FY24 Q2 મોંઘવારી દર અનુમાન 5.2 ટકાથી વધીને 6.2 ટકા કર્યા છે. Q4FY24 CPI મોંઘવારી અનુમાન 5.2 ટકા પર યથાવત છે. Q3FY24 CPI મોંઘવારી અનુમાન 5.4 ટકાથી વધીને 5.7 ટકા કરવામાં આવ્યો છે. Q1FY25 CPI મોંઘવારી 5.2 ટકા પર રહેવાનો અનુમાન છે. શક્તિકાંત દાસે આગળ કહ્યું કે શાકભાજીના ભાવ ઘટી શકે છે. ઘરેલૂ ખાદ્ય કિમતોને લઇને અનિશ્ચિતતા કાયમ છે. મોંઘવારી દર અનુમાન તે માનીને કરવામાં આવ્યા છે કે મૉનસૂન સામાન્ય રહેશે.
બેન્કને 10 ટકા અતિરિક્ત CRR રાખવાનો રહેશે
આરબીઆઈ ગવર્નરે આગળ કહ્યું છે કે CRRમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. પરંતુ બેન્કોને 10 ટકા અતિરિક્ત ICRR રાખવાનો રહેશે. 12 ઑગસ્ટથી ઈન્ક્રિમેન્ટલ CRR મેન્ટેન કરવાનું રહેશે. આબીઆઈ પૉલિસીના બાદ બજારમાં ઘટાડો વધી શકે છે. બજાર દિવસના નીચલા સ્તર પર જોવા મળી રહ્યું છે. RBI એમપીસીની આવતી બેઠક 4-6 ઑક્ટોબરે થશે.