RBI Credit Policy: RBIએ વ્યાજ દર યથાવત રાખ્યા, રેપો રેટ 6.50% પર યથાવત | Moneycontrol Gujarati
Get App

RBI Credit Policy: RBIએ વ્યાજ દર યથાવત રાખ્યા, રેપો રેટ 6.50% પર યથાવત

RBI Credit Policy: RBIએ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. MSF RATE & BANK RATE 6.75% પર યથાવત છે.

અપડેટેડ 10:44:33 AM Aug 10, 2023 પર
Story continues below Advertisement

RBI Credit Policy: RBIએ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. MSF RATE & BANK RATE 6.75% પર યથાવત છે.

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે Withdrawal Of Accommodation Stance વલણ યથાવત છે. વલણ યથાવત રાખવા માટે MPCનો મત 5:1 આવ્યો છે. એટલે કે 6 માંથી 5 સભ્યોએ રેપો રેટ ને સ્થિર બનાવી રાખાવના પક્ષમાં હતા. અમે ઈનફ્લેશનમાં ઘટાડો આવતો દેખાયો છે. છેલ્લા 6 ટકાથી ઊપર હતો. હવે તે ઘણો નીચે આવી ગયો છે. SDF રેટ 6.25% પર યથાવત છે. હેડલાઈન મોંઘવારી FY24ના લક્ષ્ય કરતા ઉપર રહે.

રેપો રેટ 6.5 ટકા પર યથાવત


RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે કેન્દ્રીય બેન્કની મૉનેટરી પોલિસી કમેટીએ રેપો રેટમાં કોઈ પણ પ્રાકારનું ફેરફાર નથી કરવાનો નિર્ણય કર્યા છે. અહીં 6.5 ટકા પર બન્યા રહેશે. આરબીઆઈએ સતત તેના ત્રીજા મૉનેટરી પૉલિસીમાં રેપો રેટમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર નથી કર્યો.

ભારતીય ઈકોનૉમીકનું ગ્લોબલ વિકાસમાં 15 ટકાનું યોગદાન

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની 5મીં સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે જેમાં ગ્લોબલ વિકાસમાં લગભગ 15 ટકા હિસ્સો છે. શક્તિકાંતા દાસે કહ્યુ કે એણપીસીએ ઇનફ્લેશને 4 ટકાના ટારગેટ પર તેનો ફોકસ બનાવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ઇનફ્લેશનને કાબૂમાં રાખવા પર કેન્દ્રીય બેન્કનું ફોકસ બન્યું રહેશે.

નાણાકીય વર્ષ 2024 માટે GDP ગ્રોથ 6.5% રહેવાની આશા

નાણાકીય વર્ષ 2024 માટે GDP ગ્રોથ 6.5% રહી શકે છે. પહેલા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 8.0 ટકા રહી શકે છે. બીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 6.5 ટકા રહી શકે છે. જ્યારે, ત્રીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 6 ટકા રહી શકે છે. તો ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 5.7 ટકા રહી શકે છે.

FY24માં 5.4 ટકાના દરથી વધશે રિટેલ મોંઘવારી

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે આ નાણાકીય વર્ષમાં રિટેલ મોંઘવારી 5.4 ટકાના દરથી વધશે. તેને રિવાઈઝ કરવામાં આવ્યા છે.

મોંઘવારી દરમાં ફેરફાર

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે FY24 માટે રિટેલ ઇનફ્લેશનના અનુમાનને 5.1 ટકાથી સંશોધિત કરી 5.4 ટકા કરી દીધા છે. શક્તિકાંતા દાસે કહ્યુ કે આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રિટેલ ઇનફ્લેશનનો અનુમાનને 5.2 થી વધીને 6.2 ટકા કરવામાં આવ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં રિટેલ ઇનફ્લેશનના અનુમાનને 5.4 ટકાથી વધીને 5.7 ટકા કરવામાં આવ્યો છે. ચોથા ક્વાર્ટરમાં રિટેલ ઇનફ્લેશનના અનુમાનને 5.2 ટકા પર બનાવી રાખવામાં આવ્યો છે.

રેપો રેટ વધવાથી વધી જાય છે લોનની EMI

રેપો રેટ ઘટવાથી લોનની EMI ઘટે છે. જ્યારે રેપો રેટમાં વધારાથી EMIમાં પણ વધારો જોવા મળતો હોય છે. જ્યારે દેશમાં મોંઘવારી આરબીઆઈના નક્કીની રેન્જથી બહાર જાય છે. તો પછી તેને ઓછી કરવાનો ઉદ્દેશ્યથી રેપો રેટમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 10, 2023 10:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.