Yes Bank Share Price: પ્રાઈવેટ સેક્ટરના લેન્ડર યસ બેન્કના શેર સોમવાર, 23 જાન્યુઆરીને બીએસઈ પર ઇન્ટ્રા ડેમાં 12 ટકાથી વધું નબળો થઈને 17.30 રૂપિયા પર આવી ગયો છે. ખરેખર, લોન્સ માટે કર્યા પ્રોવિઝનને કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં યસ બેન્કના નેટ પ્રોફિટમાં 80 ટકાનો ઘટાડો થયો છે. બેન્કના નેટ પ્રોફિટ એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરના 266 કરોડ રૂપિયાની સરખામણીમાં ઘટીને 52 કરોડ રૂપિયા રહી ગઈ છે. યસ બેન્કના નૉન ટેક્સ પ્રોવિજન 845 કરોડ રૂપિયા રહ્યા, જો વર્ષના આધાર પર 125 ટકા અને ક્વાર્ટર આધાર પર 45 ટકા વધારે હતો.
સવારે 11.10 વાગ્યા yes Bankના શેર લગભગ 9 ટકા નબળો થઈને 18.05 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. જો કે, ગત એક વર્ષમાં શેર લગભગ 25 ટકા મજબૂત થઈ ગયો છે.
નેટ ઇન્ટરેસ્ટ ઇનકમમાં વધારો
જો કે, બેન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ (NII) એક વર્ષ પહેલાના સમયના 1764 કરોડ રૂપિયાથી વધીને ડિસેમ્બર, 2022માં સમાપ્ત ક્વાર્ટરમાં 1970.6 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેનું અર્થ છે કે વર્ષના આધાર પર તેમાં 11.7 ટકાનો વધારો થયો છે. જ્યારે, ક્વાર્ટરના આધાર પર બેન્કના NIIમાં અમુક ખાસ ફર્ક નથી, જો ગત ક્વાર્ટરમાં 1991 કરોડ રૂપિયા રહી હતી.
બ્રોકરેજે ઘટાડ્યો ટારગેટ પ્રાઈઝ
વિદેશી બ્રોકરેજ મૉર્ગન સ્ટેનલી (morgan Stanley)એ સ બેન્કના શેર માટે ટારગેટ પ્રાઈઝ 20 રૂપિયાથી ઘટીને 17.5 રૂપિયા કર્યા છે. સાથે તેમે "અંડરવેટ" રેટિંગ આવી છે. બ્રોકરેજે કહ્યું કે, "એઆરસીના વેચાણ/ કેપિટલ એકત્રથી બેલેન્સશીટમાં સુધાર થયો છે અને નિયમોને કારણે અગ્રિમ પ્રોવિઝન કર્યા છે." બ્રોકરેઝએ નાણાકીય વર્ષ 23/24/25 માટે અર્નિંગ પ્રતિ શેર એસટીમેન્ટ 37 ટકા / 7 ટકા / 5 ટકા સુધી ઘટી ગયો છે.
એટી1 બૉન્ડ કેસમાં પણ લાગ્યો ઝટકો
એક અન્ય ઘટનાક્રમમાં, બંબઈ હાઈ કોર્ટએ યસ બેન્કના માર્ચ 2020 ના 8415 કરોડ રૂપિયા એડીશનલ ટિયર 1 (એટી1) બૉન્ડ્સ ને બટ્ટે ખાતામાં નાખવાના ખારિઝ કરી દીધા, પરંતુ લેન્ડરને આ નિર્ણયની સામે આપીલ કરવા માટે 6 સપ્તાહનો સમય આપ્યો છે. આ બૉન્ડ હોલ્ડર્સ છેલ્લા ત્રણ વર્ષથી ઘણા મોર્ચા પર કાયદા જંગ લડી રહી છે.
AT1 બૉન્ડ એક પ્રાકારની સિક્યોરિટીઝ થતી છે જેમાં કોઈ મેચ્યોરિટી વધારે નથી. બેન્ક તેમણે બેસિલ-3 નૉર્મ્સને પૂરો કરવાની ઉદ્દેશ્યથી પૂંજી એકત્ર કરવા માટે ઉપયોગ કરે છે.
ફ્રૉડ, નાણાકીય ઇનિયમિતતાઓ અને એનપીએથી થઈ માર્ચ 2020માં બેલઆઉટના હેઠળ 8415 કરોડ રૂપિયાના એટી1 બૉન્ડને રાઇટ ઑફ કર્યો હતો એટલે કે તેની વેલ્યૂ જીરો કરી દીઘી હતી.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.