Adani Group પર મોટા-મોટા દિગ્ગજ બેન્કોનો ભરોસો કાયમ, કંપનીના ડૉક્યૂમેન્ટથી મોટો ખુલાસો - Adani Group continues to be trusted by big giant banks, a big revelation from the company's document | Moneycontrol Gujarati
Get App

Adani Group પર મોટા-મોટા દિગ્ગજ બેન્કોનો ભરોસો કાયમ, કંપનીના ડૉક્યૂમેન્ટથી મોટો ખુલાસો

Adani Group પર હિંડનબર્ગ રિસર્ચે સ્ટૉક મૈનિપુલેશન અને અકાઉંટિંગ ફ્રૉડનો આરોપ લગાવ્યો છે. 24 જાન્યુઆરીના આ રિપોર્ટ રજુ થયો હતો. અદાણી ગ્રુપે આ બધા આરોપોની ના પાડી છે પરંતુ શેરોની હાલત પલટતી ચાલી રહી છે. જ્યારે અદાણી ગ્રુપની વિરૂદ્ઘ કેપિટલ માર્કેટ રેગુલેટર સેબી તપાસ પણ કરી રહી છે. તેના સિવાય તે સુપ્રીમ કોર્ટના આદેશ પર ગ્રુપના સોદાની તપાસ કરી રહી છે.

અપડેટેડ 05:43:27 PM Apr 05, 2023 પર
Story continues below Advertisement
કંપની ડૉક્યૂમેંટના મુજબ અદાણી ગ્રુપ લગાતાર પોતાના લૉન્ગ ટર્મ ડેટ પોર્ટફોલિયોના ડાઈવર્સિફાઈ કરી રહ્યા છે. તેને અન્ય સ્ત્રોતોના દ્વારા ભંડોળ એકઠુ કરીને બેન્કોના એક્સપોઝર ઓછા કર્યા છે.

અમેરિકી શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research) ના ઝટકાથી અદાણી ગ્રુપ અત્યાર સુધી પૂરી રીતથી ઉભરી નથી શક્યુ. ત્યારબાદથી ગ્રુપ લગાતાર રોકાણકારોના ભરોસાને બનાવી રાખવા માટે કોશિશ કરી રહ્યા છે. હવે તાજા કડીમાં સામે આવ્યુ છે કે યૂરોપીય યૂનિયન અને જાપાન સહિત દુનિયાની ઘણી દિગ્ગજ બેન્કોએ તેના પર ભરોસો જતાવ્યો છે. Adani Group ના એક ડૉક્યૂમેન્ટના મુજબ હૉન્ગ કૉન્ગથી લઈને ન્યૂયૉર્ક સુધી રોડશોમાં ગ્રુપે કોર અર્નિંગ્સમાં વર્ષના 20 ટકાનો ગ્રોથ હાસિલ કરવા અને ડેટ પોર્ટફોલિયોના ડાઈવર્સિફાઈ કરવાની પ્રતિબદ્ઘતા જતાવી.

એવામાં મિત્સુબિશી યૂએફજી ફાઈનાન્શિયલ ગ્રુપ (MUFG), સુમીટોમો મિત્સુઈ બેન્કિંગ કૉર્પોરેશન (SMBC), સ્ટેંડર્ડ ચાર્ટર્ડ, બાર્કલેજ, ડ્યૂશ બેન્ક, કંસોર્ટિયમ લેંડર બેન્કોએ એકવાર ફરી અદાણી ગ્રુપ પર પોતાનો ભરોસો દેખાડ્યો છે. જો કે રૉયટર્સની રિપોર્ટના મુજબ આ ખુલાસો નથી થઈ શક્યો કે બેન્કોએ કોઈ રીતથી પોતાનો ભરોસાને દેખાડ્યો છે.

Cyient ના સ્ટૉકમાં તેજી, ટૉપ લીટરશિપમાં બદલાવની બાદ આવ્યો સ્ટૉકમાં ઉછાળો


Adani Group એ ક્યા-ક્યા પગલા ઉઠાવ્યા છે

કંપની ડૉક્યૂમેંટના મુજબ અદાણી ગ્રુપ લગાતાર પોતાના લૉન્ગ ટર્મ ડેટ પોર્ટફોલિયોના ડાઈવર્સિફાઈ કરી રહ્યા છે. તેને અન્ય સ્ત્રોતોના દ્વારા ભંડોળ એકઠુ કરીને બેન્કોના એક્સપોઝર ઓછા કર્યા છે. હવે અદાણીના 39 ટકા કર્ઝ બૉન્ડ્સના રૂપમાં છે, 29 ટકા વૈશ્વિક બેન્કોથી લેવામાં આવ્યા છે અને 32 ટકા ભારતીય સરકારી-ખાનગી બેન્કોથી લેવામાં આવ્યો છે. અદાણીના પોતાની નાણાકીય સ્થિતિ સુધારવા માટે 250 કરોડ ડૉલર (20.5 હજાર કરોડ રૂપિયા) ના શેરોનું વેચાણ કરવુ પડ્યુ. એસબીઆઈ સહિત દેશના બાકી સરકારી બેન્કોએ અદાણી ગ્રુપના આપેલા કર્ઝ પર કોઈ ચિંતા નથી જતાવી અને તેમનું કહેવુ છે કે ગ્રુપની નાણાકીય સ્થિતિ સારી છે અને જો ગ્રુપને જરૂર પડી તો તેને ફરી કર્ઝ આપવામાં આવી શકે છે.

તપાસનો કરવો પડી રહ્યો છે સામનો

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચે સ્ટૉક મૈનિપુલેશન અને અકાઉંટિંગ ફ્રૉડનો આરોપ લગાવ્યો છે. 24 જાન્યુઆરીના આ રિપોર્ટ રજુ થયો હતો. અદાણી ગ્રુપે આ બધા આરોપથી ના પાડી છે પરંતુ રિપોર્ટ આવવાની બાદથી શેરોની હાલત ખરાબ થઈ ગઈ છે. જ્યારે અદાણી ગ્રુપની વિરૂદ્ઘ કેપિટલ માર્કેટ રેગુલેટર સેબી તપાસ પણ કરી રહી છે. હિંડનબર્ગના આરોપોના સિવાય આ સુપ્રીમ કોર્ટના આદેશ પર ગ્રુપના સોદાની તપાસ કરી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 05, 2023 5:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.