વૈભવ સંઘવીનું કહેવુ છે કે ભારતની સ્થિતિ મજબૂત પણ વૈશ્વિક સંકેતોની અસર રહેશે. વૈશ્વિક બજારમાં વ્યાજદર વધ્યા છે તેની અસર બજાર પર આવી. વ્યાજદરની અસર પરિણામો અને બજાર પર એટલી નથી દેખાઈ. અન્ય ઈમર્જિંગ દેશો કરતા ભારતની સ્થિતિ ઘણી સારી છે. હાલમાં બજાર રેન્જમાં રહેશે, ઘટાડો આવે તો ખરીદી કરવી.
વૈભવ સંઘવીના મતે USમાં મોંઘવારી મુખ્ય ફોકસ છે. થોડા સમય માટે વ્યાજદર ઉપરના સ્તરે રહેશે. વૈશ્વિક અર્થતંત્ર નબળું પડે છે ત્યારે ITમાં દબાણ આવ્યું છે. AIના કારણે ITમાં મોટા ફેરફાર જોવા મળશે.
વૈભવ સંઘવીનું માનવું છે કે હાલમાં ITને અમે એવોઈડ કરીએ છીએ. કન્ઝ્યુમર સ્ટેપલ્સમાં 6 મહિનામાં તેજી જોવા મળશે. લાંબાગાળા માટે કન્ઝ્યુમર સેક્ટરમાં સારો ગ્રોથ જોવા મળશે. ગ્રાહકનો ખર્ચ ઘટશે તો પહેલા ડિસ્ક્રેશનરી માગ પર અસર પડશે.
વૈભવ સંઘવીના મુજબ અત્યારે લાર્જકેપમાં રોકાણ કરી શકાય. લાર્જકેપ પ્રાઈવેટ બેન્કમાં રોકાણ કરી શકાય છે. PSU, NBFCsમાં હાલમાં રોકાણની સલાહ નહી. ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્ઝમાં ઘટાડે ખરીદી કરવી. લાંબાગાળા માટે રિન્યુએબલ, ગ્રીન એનર્જીમાં રોકાણ કરી શકાય.