કહેવત છે કે “રસ્સી જલ ગઇ લેકિન બલ નહીં ગયા”. આજકાલ આ કહેવત પાકિસ્તાન પર બરાબર બેસે છે. તાજેતરના ઈન્ટરવ્યુમાં પાડોશી દેશના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું હતું કે, ભારત સાથેના છેલ્લા ત્રણ યુદ્ધ બાદ પાકિસ્તાને હવે “પોતાનો પાઠ” શીખી લીધો છે અને હવે અમે “શાંતિ” ઈચ્છીએ છીએ.
દુબઈના અલ-અરેબિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં શરીફે કહ્યું, "અમે અમારો પાઠ શીખ્યા છીએ, અને અમે ભારત સાથે શાંતિથી રહેવા માંગીએ છીએ. જો અમે અમારી વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ."
વડાપ્રધાનના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો. કારણ કે... તે કેવી રીતે સ્વીકારશે કે તેણે ત્રણ હાર પછી તેનો પાઠ શીખ્યો છે. વધી રહેલા વિવાદને જોઈને પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે આખા મામલાની સ્પષ્ટતા કરવી પડી હતી.
PM શાહબાઝ શરીફે શું કહ્યું?
- ભારત સાથે આપણે ત્રણ યુદ્ધો થયા છે, અને તે લોકો માટે વધુ દુઃખ, ગરીબી અને બેરોજગારી લાવ્યા છે.
- ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન મોદીને મારો મેસેજ છે કે ચાલો ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા સળગતા મુદ્દાના ઉકેલ માટે ગંભીર અને પ્રમાણિક વાતચીત કરીએ.
ભારત આપણો પડોશી દેશ છે, આપણે પડોશી છીએ. ચાલો તે ખૂબ જ સ્પષ્ટપણે કહીએ. અમે ભલે પસંદગીથી પડોશી ન હોઈએ, પરંતુ અમે કોઈપણ રીતે પડોશીઓ છીએ.
- તે આપણા પર છે કે આપણે શાંતિ અને પ્રગતિમાં રહીએ કે એકબીજા સાથે લડીએ અને સમય અને સંસાધનોનો બગાડ કરીએ. આ બધું આપણે નક્કી કરવાનું છે.
ઇન્ટરવ્યુ બહાર આવ્યા પછી તરત જ, પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદન ટ્વીટ કર્યું. આ નિવેદનમાં, પીએમઓએ સ્પષ્ટ કર્યું કે શહેબાઝ શરીફે ઇન્ટરવ્યુમાં શું કહ્યું હતું.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, "વડાપ્રધાને વારંવાર રેકોર્ડ પર કહ્યું છે કે જો ભારત કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ કરવાનો નિર્ણય પાછો ખેંચે તો જ વાતચીત થઈ શકે છે."
પાકિસ્તાન PMOએ વધુમાં કહ્યું કે, "ભારત તરફથી આ પગલું પાછું ખેંચ્યા વિના વાતચીત શક્ય નથી."
પાકિસ્તાન આ દિવસોમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોટની અછત, ઘઉંની કટોકટી અને બળતણની અછતને કારણે શાસક પ્રબંધન સામે લોકોમાં રોષ વધી રહ્યો છે.
આ સિવાય તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) તરફથી પણ સતત આતંકવાદી હુમલા કરવામાં આવી રહ્યા છે. TTPએ ગયા વર્ષના અંતમાં દેશના સુરક્ષા દળો સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યો હતો.