અરવલ્લી પંથકમાં લાલા ટામેટાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે સોંઘા ટામેટા બજારમાં પહોંચતા કેવી રીતે બને છે મોંઘાદાટ.
અરવલ્લી પંથકમાં લાલા ટામેટાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે સોંઘા ટામેટા બજારમાં પહોંચતા કેવી રીતે બને છે મોંઘાદાટ.
અરવલ્લી જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોની આશા પર ફરી વળ્યું છે પાણી. હોશે હોશે 4 હજાર 933 હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર કરી આવ્યો પસ્તાવાનો વારો. ટામેટાનું બમ્પર ઉત્પાદન તો થયું. એટલે અન્નદાતાને આશા હતી કે ટામેટાની ખેતી કરી માલમાલ થશું પરંતુ જ્યારે બજારમાં ટામેટા લઈને પહોંચ્યા ભાવ સાંભળી ખેડૂતો લાલ લાલ થઈ ગયા. 25 હજાર જેટલો ખર્ચ કર્યો અને સામે મણના ભાવ માત્ર 30 થી 40 રૂપિયા મળતા રડવાનો વારો આવ્યો.
તૈયાર થયેલો પાક ખેડૂતો ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જઈ રહયા છે. પરંતુ ખેતરથી મોડાસા કે હિંમતનગર સુધી જવા પાછળ થતો ટ્રેક્ટર ખર્ચ પણ નીકળતો નથી જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે જગતનો તાત સરકાર તરફથી મદદ મળે તેવી આશ રાખી બેઠો છે.
પરંતુ હકીકત તો એ છે લાચાર ખેડૂતોને વચેટિયાઓ, દલાલો લૂંટી રહ્યા છે. ખેડૂતો પાસેથી કોડીના ભાવે ટામેટા લઈ બજારમાં મોંઘાદાટ વહેંચી પોતે લાખોની કમાણી કરે છે. લોકોને લૂંટે છે. ત્યારે સવાલ એ છે કે આખરે આ વચેટિયાઓથી ધરતીપુત્રોને ક્યારે મુક્તિ મળશે?
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.