નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાનો નફો 12 ટકા વધીને 1,151 કરોડ રૂપિયાનો નફો રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાનો નફો 1,027.4 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાની વ્યાજ આવક 64.2 ટકા ઘટીને 5,594.3 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાની વ્યાજ આવક 3,408 કરોડ રૂપિયા રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાના ગ્રૉસ એનપીએ 8.51 ટકા થી ઘટીને 7.66 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાના નેટ એનપીએ 1.92 ટકાથી ઘટીને 1.61 ટકા રહ્યા છે.
રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાના ગ્રૉસ એનપીએ 42,014 કરોડ રૂપિયાથી ઘટીને 38,884 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાના નેટ એનપીએ 8,836.2 કરોડ રૂપિયાથી ઘટીને 7,646.2 કરોડ રૂપિયા રહ્યા છે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ ઈન્ડિયાના પ્રોવિઝનિંગ 1,912 કરોડ રૂપિયાથી ઘટીને 1,879 કરોડ રૂપિયા રહ્યા છે.