નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કનો સ્ટેન્ડઅલોન નફો 34.2 ટકા ઘટીને 8,311.9 કરોડ રૂપિયાનો નફો રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કનો સ્ટેન્ડઅલોન નફો 6,193.8 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કની સ્ટેન્ડઅલોન વ્યાજ આવક 35 ટકા વધીને 16,464 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કની સ્ટેન્ડઅલોન વ્યાજ આવક 12,336 કરોડ રૂપિયા રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કના ગ્રૉસ એનપીએ 3.19 ટકા થી ઘટીને 3.07 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કના નેટ એનપીએ 0.61 ટકાથી ઘટીને 0.55 ટકા રહ્યા છે.
રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કના ગ્રૉસ એનપીએ 32,570.9 કરોડ રૂપિયાથી ઘટીને 32,528.2 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કના નેટ એનપીએ 6,099.3 કરોડ રૂપિયાથી ઘટીને 5,651.2 કરોડ રૂપિયા રહ્યા છે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં આઈસીઆઈસીઆઈ બેન્કના પ્રોવિઝનિંગ 1,644.5 કરોડ રૂપિયાથી વધીને 2,257.4 કરોડ રૂપિયા રહ્યા છે.