પાકિસ્તાનમાં 72 વર્ષથી બંધ પડ્યુ હતું મંદિર, હિન્દુ શ્રદ્ઘાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્યુ | Moneycontrol Gujarati
Get App

પાકિસ્તાનમાં 72 વર્ષથી બંધ પડ્યુ હતું મંદિર, હિન્દુ શ્રદ્ઘાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્યુ

વિભાજન સમયે સિયાલકોટમાં સીલ કરવામાં આવ્યું હતું મંદિરને ત્યાર બાદ તે હિન્દુ શ્રદ્ઘાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્યું છે.

અપડેટેડ 01:38:46 PM Oct 11, 2023 પર
Story continues below Advertisement

ધારોવાલમાં એક હજાર વર્ષ જૂની 'શાવાલા તેજા સિંહ' મંદિરનું નિર્માણ સરદાર તેજા સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જેને વિભાજનના સમયે વર્ષ 1947માં બંધ કરવામાં આવ્યો હતો. વર્ષ 1992માં સ્યાલકોટના હિંદુઓને આ મંદિરમાં પ્રવેશ કરવા માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. તે સમયના પકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિર્દેશથી મંદિરને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે મંદિર ખુલ્યું ત્યારે શું જોવા મળ્યું?

આ મંદિર વિભાજનમાં સમયથી બંધ હતુ. આ મંદિર કેટલુ ખાસ છે કે તમે તેની કલ્પના તેની રચનાને જોઈને લગાવી શકો છો. મોટા-મોટા પથ્થરોથી બનેલા આ મંદિરમાં અદ્ભુત કારીગરી કરવામાં આવી હતી. આમતો તે એક નાનું શિવાલય છે, પરંતુ તેની ભવ્યતાને જોઈને તમે આ મંદિરની સરખામણી કોઈ પણ મોટા મંદિરની સાથે કરી શકો છો. સૌથી મોટી વાત છે કે આટલા વર્ષોથી બંધ રહ્યા બાદ પણ આ મંદિરની દિવાલો પર કોઈ અસર નથી પડી, દિવાલોની સ્થિતિને જોઈને કલ્પના કરી શકો છો કે તે સમયના મંદિરો કેટલા મજબૂતીથી બાંધવામાં આવ્યા હતા.


કોણે ખોલ્યું હતું આ મંદિર?

આ મંદિરને વર્ષ 2019માં 72 વર્ષ બાદ પાકિસ્તાનના તે સમય દરમિયાન, વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા ખોલવામાં આવ્યું હતું. મંદિરનું નામ શિવલા તેજાસિંહ મંદિર છે. મંદિરમાં ફરીથી દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે અને પૂજા કાર્ય ફરી શરૂ થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે ત્યાં બધાએ હર હર મહાદેવના નારા લગાવવાનું શરૂ કર્યું.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 11, 2023 1:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.