Greece Boat Tragedy: ગ્રીસ બોટ દુર્ઘટનામાં 300 પાકિસ્તાનીઓના મોત, PM શાહબાઝે રાષ્ટ્રીય શોકની કરી જાહેરાત | Moneycontrol Gujarati
Get App

Greece Boat Tragedy: ગ્રીસ બોટ દુર્ઘટનામાં 300 પાકિસ્તાનીઓના મોત, PM શાહબાઝે રાષ્ટ્રીય શોકની કરી જાહેરાત

દક્ષિણ ગ્રીસ પાસે બોટ ડૂબી જવાની ઘટનામાં પાકિસ્તાનના 300 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર બોટમાં 400 પાકિસ્તાની, 200 ઈજિપ્તના અને 150 સીરિયન હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે બોટ ડૂબવાની ઘટનામાં પાકિસ્તાની નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સેંકડો લોકોના મોત પર પાકિસ્તાને આજે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

અપડેટેડ 01:27:59 PM Jun 19, 2023 પર
Story continues below Advertisement
ઘટનામાં ઘણા પાકિસ્તાની નાગરિકો સહિત સેંકડો લોકો હજુ પણ ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 80 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

Greece Boat Tragedy: દક્ષિણ ગ્રીસ પાસે બોટ ડૂબી જવાની ઘટનામાં પાકિસ્તાનના 300 લોકોના મોતની આશંકા છે. અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બોટમાં 400 પાકિસ્તાની, 200 ઈજિપ્તના અને 150 સીરિયન હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે બોટ ડૂબવાની ઘટનામાં પાકિસ્તાની નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ કહ્યું છે કે માનવ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક જઘન્ય અપરાધ છે. પાકિસ્તાને POKમાંથી લગભગ 10 માનવ તસ્કરોની ધરપકડ કરી છે. તેમના પર ગેરકાયદેસર માધ્યમથી પાકિસ્તાનના લોકોને યુરોપ લઈ જવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

રાષ્ટ્રીય શોકની ઘોષણા

સેંકડો લોકોના મોત માટે પાકિસ્તાને આજે એટલે કે 19 જૂને રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સીએનએન અનુસાર, ગ્રીસના દરિયાકાંઠે ફિશિંગ ટ્રોલર ડૂબી જવાથી 300થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાનના સેનેટના અધ્યક્ષ મુહમ્મદ સાદિક સંજરાનીએ રવિવારે એક નિવેદનમાં મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા આ સંખ્યા જાહેર કરી હતી. જો કે, ગ્રીક સત્તાવાળાઓએ હજુ સુધી પાકિસ્તાનના મૃત્યુઆંકની પુષ્ટિ કરી નથી. રવિવારે એક ટ્વિટમાં, શહેબાઝ શરીફે આ ઘટનાની "ઉચ્ચ સ્તરીય તપાસ" કરવાનો આદેશ આપ્યો છે.


સેંકડો લોકો ગુમ

બીબીસી અનુસાર, આ ઘટનામાં ઘણા પાકિસ્તાની નાગરિકો સહિત સેંકડો લોકો હજુ પણ ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 80 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ બોટમાં સીરિયન અને ઇજિપ્તવાસીઓ પણ સવાર હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે આ દુર્ઘટનામાં 500 લોકો ગુમ થયાની આશંકા છે. રિપોર્ટ અનુસાર આ બોટમાં લગભગ 750 લોકો સવાર હતા.

લીગલ ડોક્યુમેન્ટ્સ વિના યુરોપની ખતરનાક સફર

તમને જણાવી દઈએ કે દર વર્ષે હજારો પાકિસ્તાની યુવાનો વધુ સારા જીવનની શોધમાં માન્ય ડોક્યુમેન્ટ્સ વિના યુરોપની જોખમી યાત્રા પર નીકળે છે. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું કે તેમણે આ ઘટનાના સંબંધમાં 10 લોકોની ધરપકડ કરી છે. જો કે, પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી મૃતકોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી.

એવું માનવામાં આવે છે કે જે લોકો ગુમ છે તેમાંથી કોઈના બચવાની શક્યતા ઓછી છે. ધ ગાર્ડિયને દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને ટાંકીને જણાવ્યું છે કે પાકિસ્તાનના લોકોને જાણીજોઈને બોટની નીચેના વિસ્તારમાં ગોદીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં બચવાની શક્યતાઓ નહિવત છે. બોટમાં સવાર લોકોએ જાણી જોઈને આવું કર્યું.

આ પણ વાંચો - Adipurush Box Office Collection: આદિપુરુષે 3 દિવસમાં 200 કરોડની કરી કમાણી, ભારે વિરોધ વચ્ચે પણ કલેક્શનમાં કોઈ ઘટાડો નહીં

MoneyControl News

MoneyControl News

First Published: Jun 19, 2023 1:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.