વ્યાજ દરોમાં વધારો રહેશે, કેટલો સમય રહેશે તે તો આગામી સમય જ બતાવશે : RBI | Moneycontrol Gujarati
Get App

વ્યાજ દરોમાં વધારો રહેશે, કેટલો સમય રહેશે તે તો આગામી સમય જ બતાવશે : RBI

વૈશ્વિક અર્થતંત્ર ફુગાવો, ધીમી વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા માટેના જોખમો જેવા ત્રણ પડકારોનો સામનો કરે છે

અપડેટેડ 01:06:22 PM Oct 21, 2023 પર
Story continues below Advertisement

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વ્યાજ દરો અત્યારે ઊંચા રહેશે અને તે આ ઊંચા સ્તરે કેટલો સમય રહેશે તે તો સમય જ કહેશે. વર્તમાન ભૌગોલિક રાજકીય સંકટને ધ્યાનમાં રાખીને, વિશ્વભરની મુખ્ય કેન્દ્રીય બેન્કોએ ઉચ્ચ ફુગાવાને પહોંચી વળવા માટે તેમના મુખ્ય નીતિ દરોમાં વધારો કર્યો છે.

જોકે, ફુગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેન્કે આ વર્ષે ફેબ્રુઆરીથી પોલિસી રેટમાં વધારો કર્યો નથી. તે 6.5 ટકા પર અકબંધ છે. પહેલા, ગયા વર્ષે મે માસથી રેપો રેટમાં કુલ છ વખતમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. દાસે આગળ કહ્યું હતું કે ભાવ સ્થિરતા અને નાણાકીય સ્થિરતા એકબીજાના પૂરક છે રિઝર્વ બેન્કે બન્નેને અસરકારક રીતે સંચાલિત કરવાનો પ્રયાસ કર્યો છે. શાકભાજી અને ઈંધણના ભાવમાં નરમાઈને કારણે સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે છૂટક ફુગાવો 5.02 ટકાના ત્રણ મહિનાના નીચા સ્તર પર આવી ગયો હતો.

ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો ઓગસ્ટમાં 6.83 ટકા અને સપ્ટેમ્બર 2022માં 7.41 ટકા હતો. જુલાઈમાં મોંઘવારી દર 7.44 ટકાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો. ફુગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેન્કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોલિસી રેટમાં વધારો કર્યો નથી.


નાણાકીય નીતિની અસર ડિજિટલ પેમેન્ટ દ્વારા ઝડપથી અને અસરકારક રીતે દેખાઈ રહી છે. નાણાકીય નીતિ હંમેશા પડકારજનક રહે છે અને આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી. ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર હવે ત્રણ પડકારોનો સામનો કરે છે. જેમાં ફુગાવો, ધીમી વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા માટેના જોખમોનો સમાવેશ થાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 21, 2023 1:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.