તાજમહેલની સુંદરતાને લાગી રહ્યું છે ગ્રહણ, નાના કીડાના કારણે બહારની દિવાલનો સફેદ રંગ થઈ રહ્યો છે લીલો
હવે ASIએ પણ જંતુઓના કારણે તાજમહેલની સુંદરતાને ગંદી થવાથી બચાવવાનું આયોજન શરૂ કર્યું છે. ગયા અઠવાડિયે, ASI ના વિજ્ઞાન વિભાગના સભ્યોએ તાજમહેલના અસરગ્રસ્ત ભાગોને કોટન અને પાણીથી સાફ કર્યા અને પછી તેની ચમક પાછી લાવવા માટે કોટનથી સપાટીને ફરીથી પોલિશ કરી. ASIએ માહિતી આપી છે કે સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલનો બહારનો સફેદ ભાગ જંતુઓના બીટને કારણે લીલો થઈ રહ્યો છે.
હવે ASI આ સમસ્યાના ઉકેલ માટે તાજમહેલનું નિયમિત નિરીક્ષણ કરશે. જેથી કરીને સમયાંતરે આ સ્થળોને સાફ કરી શકાય અને તેની સુંદરતા જાળવી શકાય.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ માહિતી આપી છે કે સાત અજાયબીઓમાં સમાવિષ્ટ તાજમહેલનો બહારનો સફેદ ભાગ જંતુના બીટથી લીલો થઈ રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ગોએલ્ડીચિરોનોમસ પ્રજાતિના આ જંતુઓ યમુનાના ગટર ભરેલા પાણીમાં પ્રજનન કરે છે. સમય જતાં, આ જંતુઓનો મધ્ય ભાગ ભુરોથી કાળો થઈ જાય છે.
ASI કરી રહ્યું છે સમસ્યાનો સામનો કરવાની તૈયારી
હવે ASIએ પણ જંતુઓના કારણે તાજમહેલની સુંદરતાને ગંદી થવાથી બચાવવાનું આયોજન શરૂ કર્યું છે. ગયા અઠવાડિયે, ASI ના વિજ્ઞાન વિભાગના સભ્યોએ તાજમહેલના અસરગ્રસ્ત ભાગોને કોટન અને પાણીથી સાફ કર્યા અને પછી તેની શાઇન રિસ્ટોર કરવા માટે કોટનથી સપાટીને ફરીથી પોલિશ કરી.
તાજમહેલમાંથી જંતુઓના મળના નિશાન દૂર કરાયા
તાજમહેલ ખાતે ASIના મુખ્ય સહાયક સંરક્ષક રાજકુમાર વાજપેયીએ મીડિયાને જણાવ્યું કે તાજમહેલમાંથી જંતુઓના મળમૂત્રને સાફ કરવામાં આવ્યા છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે તેઓ કહી શકતા નથી કે તે ફરીથી થશે કે નહીં કારણ કે તે જંતુઓ માટે આદર્શ સંવર્ધન સીઝન છે.
વાજપેયીએ મીડિયાને કહ્યું કે જ્યાં સુધી યમુનાના પાણીને સાફ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાને ખતમ કરી શકાશે નહીં. હવે ASI આ સમસ્યાના ઉકેલ માટે તાજમહેલનું નિયમિત નિરીક્ષણ કરશે. જેથી કરીને સમયાંતરે આ સ્થળોને સાફ કરી શકાય અને તેની સુંદરતા જાળવી શકાય.
તાજમહેલના કેટલાક ભાગો ખૂબ ગંદા થઈ રહ્યા છે
ASIના મુખ્ય સહાયક સંરક્ષક રાજકુમાર વાજપેયીએ જણાવ્યું કે તાજમહેલના કેટલાક ભાગો ખાસ કરીને કીડાઓને કારણે ખૂબ જ ગંદા થઈ રહ્યા છે. આ ઐતિહાસિક ઈમારતનો ઉત્તર પૂર્વ ભાગ અને ત્યાંના મિનારાઓની નિયમિત સફાઈ કરવામાં આવશે.