Cyclones: વાવાઝોડા તેજનું લેન્ડફોલ, આગમી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન?
Cyclones: અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે. જેમા તમણે જણાવ્યુ છે કે, મહત્તમ અને લઘુત્તમ તાપમાન એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
Cyclones: લઘુત્તમ તાપમાન પણ આશરે 21થી લઇને 24 સુધી રહેવાની શક્યતા છે.
Cyclones: બંગાળની ખાડી અને અરબ સાગરમાં હાલ એક-એક વાવાઝોડું સક્રિય છે. ત્યારે ગુજરાતીઓને પણ ચિંતા સતાવી રહી છે તે બિપરજોય વાવાઝોડાની જેમ રાજ્ય પર કોઇ મોટી અસર ના છોડે. પરંતુ ગુજરાતીઓને ડરવાની જરૂર નથી. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય તેમ જણાવ્યુ છે. આ ઉપરાંત હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે શું શું જણાવ્યું તેની પર પણ નજર કરીએ. આ સાથે વાવાઝોડું તેજ અને હામૂનનો લેટેસ્ટ અપડેટેડ ટ્રેક પણ જાણીએ.
સોમવારે બપોરે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે. જેમા તમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતાઓ નહીંવત છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હાલ જે રીતનું સવારનું તાપમાન છે તેવું જ તાપમાન એટલે કે 36થી 38 ડિગ્રી સુધીનું જ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. આ સાથે રાતના તાપમાનમાં પણ વધારે ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાન પણ આશરે 21થી લઇને 24 સુધી રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે (IMD) આજે વહેલી સવારે આપેલી અપડેટ પ્રમાણે, વેરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ (VSCS) TEJ ના લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ છે અને થોડા કલાકોમાં તે પૂર્ણ થશે. જેથી 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે અને મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે વીએસસીએસ તરીકે અલ-ગૈદાહની દક્ષિણે નજીકના યમનના દરિયાકાંઠાને થોડા કલાકોમાં પાર કરે તેવી સંભાવના છે.
આ સાથે ભારતીય હવામાન વિભાગે આપેલી અપડેટ પ્રમાણે, પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી (BoB) પરનું ડીપ ડિપ્રેશન તીવ્ર ચક્રવાતમાં બન્યું છે અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. દરમિયાન, ઓડિશામાં વિશેષ રાહત કમિશનરે જિલ્લા મેજિસ્ટ્રેટને સતર્ક રહેવા જણાવ્યું છે.
ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટ અનુસાર, ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 14 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ચક્રવાતી તોફાન "હામૂન" માં તીવ્ર બન્યું અને આજે સાંજે 5:30 વાગ્યે તે જ વિસ્તારમાં અક્ષાંશ 18.3°N અને રેખાંશ 87.3°E નજીક કેન્દ્રિત છે. તે પારાદીપ (ઓરિસ્સા)થી આશરે 230 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, દીઘા (પશ્ચિમ બંગાળ)થી 360 કિમી દક્ષિણે અને ખેપુપારા (બાંગ્લાદેશ)થી 510 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં છે. તે આગામી 12 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે, એમ IMD બુલેટિનમાં જણાવાયું છે.
બુલેટિનમાં વધુમાં જણાવાયું છે કે, તે લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને 25 ઓક્ટોબરની બપોરના સુમારે ઊંડા ડિપ્રેશનમાં ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.