રાજ્યભરમાં હાલ વાદળછાયું વાતાવરણ અનુભવાઇ રહ્યુ છે. ત્યારે આજે પણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠું જતા જતાં તો આખા રાજ્યને તરબોળ કરી ગયું ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબેલાલ પટેલે અન્ય એક માવઠાના રાઉન્ડની આગાહી કરી નાંખી છે.
હવામાન નિષ્માત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અનુમાન કરતા જણાવ્યુ છે કે, તારીખ 27-28 નવેમ્બરમાં ધીરે ધીરે હવામાન ચોખ્ખું થશે. જોકે, આ અરસામાં જંબુસર, વડોદરા, ભરૂચ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આ ભારે વરસાદને કારણે વિષમ વાતાવરણને કારણે કપાસના પાકમાં જીવજંતુને ખાખરી આવવાની શક્યતા રહેશે. જ્યારે પાકો માટે શિયાળુ પાક જેમકે ઘંઉ અને સરસવ માટે સારું રહેશે.
હવામાન નિષ્ણાતે અન્ય એક માવઠા અંગેની વાત કરતા જણાવ્યુ કે, 30મી નવેમ્બરે દેશના ઉત્તરીય પર્વતો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ત્યાં હિમ વર્ષા થવાની સંભાવના રહેશે. પરંતુ હાલમાં વરસાદની સ્થિતિને કારણે ઠંડી પડશે. ઉતર ગુજરાતમાં 16 ડિગ્રી સેલ્સિયલ સુધી તાપમાન ઘટવાની સંભાવના રહેશે. જેના કારણે શિયાળુ પાકને ફાયદો થશે.
ત્રણ ડિસેમ્બરની આસપાસ ફરીથી વાદળવાયું આવવાની સંભાવના રહેશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. આ અરસામાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતનું નિર્માણ થશે. આ ચક્રવાતનું 26મી ડિસેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં હલચલ વધી જશે. જેનાથી હવામાનમાં પણ ભારે ફેરફાર કરશે.