india pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન લડાઈ રોકવા પર સહમત, ભારતે આધિકારિક રૂપથી કરી જાહેરાત | Moneycontrol Gujarati
Get App

india pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન લડાઈ રોકવા પર સહમત, ભારતે આધિકારિક રૂપથી કરી જાહેરાત

વિક્રમ મિસરીએ કહ્યું કે, 12 મેના રોજ બંને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે. આપને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, 'ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે માની ગયા છે'.

અપડેટેડ 07:18:38 PM May 10, 2025 પર
Story continues below Advertisement
india pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર પુષ્ટી કરી છે.

india pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર પુષ્ટી કરી છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, આજે બપોરે 3.35 વાગ્યે બંને દેશોના DGMOની વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં બંને દેશોએ યુદ્ધવિરામ માટે સહમતિ દર્શાવી છે. આજે 5 વાગ્યાથી બંને દેશો જમીન, આકાશ અને પાણીમાં તાત્કાલિક હુમલા રોકી દેશે.

વિક્રમ મિસરીએ કહ્યું કે, 12 મેના રોજ બંને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે. આપને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, 'ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે માની ગયા છે'.


જોકે, ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી. આજે બપોરે, પાકિસ્તાનના ડીજીએમઓએ વાટાઘાટો શરૂ કરી, જેના પગલે ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાટાઘાટો કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે છેલ્લા 48 કલાકમાં, ઉપરાષ્ટ્રપતિ વાન્સ અને મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અજિત ડોભાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી છે.

મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવા સંમત થયા છે. શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડા પ્રધાન મોદી અને શરીફની શાણપણ અને સમજદારીની અમે પ્રશંસા કરીએ છીએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધો લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ડીજીએમઓએ આજે ​​બપોરે ફોન પર વાત કરી, ત્યારબાદ ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આજે સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ છે. વિદેશ સચિવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે બપોરે 3.15 વાગ્યે પાકિસ્તાનના DGMO તરફથી ભારતના DGMO ને ફોન આવ્યો હતો. હવે બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાતચીત કરશે. વિદેશ સચિવે કહ્યું કે બંને દેશો ગોળીબાર બંધ કરવા સંમત થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 10, 2025 7:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.