પાકિસ્તાનની સેના બૉર્ડરની તરફ વધી રહી, ભારત મુંહતોડ઼ જવાબ આપવા માટે તૈયાર
કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, "ઉધમપુર, ભૂજ, ભટિંડા, પઠાણકોટ સહિત 5 સ્થળોએ નુકસાન થયું હતું. શ્રીનગર, અવંતિપુરમાં મેડિકલ કોમ્પ્લેક્સ અને સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી." કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ફાઇટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, ભારત તણાવ ઇચ્છતું નથી, પરંતુ પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ જોવા મળી રહ્યો છે અને બંને દેશો યુદ્ધની અણી પર ઉભા છે. પાકિસ્તાન દ્વારા ભારતના ઘણા શહેરો પર સતત હુમલા કરવામાં આવ્યા, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભુજથી લઈને જમ્મુ કાશ્મીર સુધી પાકિસ્તાનના તમામ હુમલાને ભારતે નિષ્ફળ કર્યા છે. જેને લઈને સેના અને વિદેશ મંત્રાલય દ્વારા થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
પાકિસ્તાને શાળાઓને નિશાન બનાવી
કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, "ઉધમપુર, ભૂજ, ભટિંડા, પઠાણકોટ સહિત 5 સ્થળોએ નુકસાન થયું હતું. શ્રીનગર, અવંતિપુરમાં મેડિકલ કોમ્પ્લેક્સ અને સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી." કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ફાઇટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે
સેનાની પ્રેસ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે, "પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે."
સેનાએ પોતાની પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, પાકિસ્તાને ભારે હથિયારોનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાને મિસાઇલથી હુમલો કર્યો હતો. પાકિસ્તાને નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો છે. કર્નલ સોફિયાએ કહ્યું કે, પાકિસ્તાનનું વલણ બેજવાબદાર છે. વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયે તેમની પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, પાકિસ્તાન ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. જ્યારે ભારતે જવાબદારીપૂર્વક જવાબ આપ્યો હતો.
પાકિસ્તાને પંજાબમાં હાઇ સ્પીડ મિસાઇલ છોડી
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, "પાકિસ્તાન ભારતીય સંરક્ષણ સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને પંજાબમાં હાઇ સ્પીડ મિસાઇલો છોડ્યા, જેનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ જવાબ આપ્યો, પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર નિયંત્રિત હુમલા કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે."
'ભારત તણાવ ઇચ્છતું નથી', ભારતીય સેના
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, ભારત તણાવ ઇચ્છતું નથી, પરંતુ પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પઠાણકોટમાં રેડ એલર્ટ, કાશ્મીરમાં લોકો માટે એલર્ટ
પંજાબના પઠાણકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં સતત સાયરન વાગી રહ્યા છે. બધા બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કાશ્મીરમાં ઘણી જગ્યાએ, લોકોને સાવચેતીના પગલા તરીકે ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક પેટ્રોલ પંપ અને દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે.