Sikkim Flood: સિક્કિમમાં પૂરના કારણે 14 લોકોના મોત, 22 સૈનિકો સહિત 102 લોકો ગુમ
Sikkim Flood: ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર વાદળ ફાટવાના કારણે બુધવારે તિસ્તા નદીના બેસિનમાં અચાનક પૂર આવ્યું. આ ભયંકર પૂરમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૂરમાં અત્યાર સુધીમાં અન્ય 102 લોકો ગુમ થયા છે. આ સિવાય આ પૂરમાં 26 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં ભારે નુકસાન થયું છે.
Sikkim Flood: આ દુર્ઘટનામાં મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં ભારે નુકસાન થયું છે.
Sikkim Flood: વાદળ ફાટવાના કારણે સિક્કિમના લોનાક તળાવનો લગભગ 65 ટકા (165 હેક્ટર) નાશ પામ્યો છે. જેના કારણે તળાવનું પાણી ઓવરફ્લો થઈને તિસ્તા નદીમાં વહેવા લાગ્યું હતું. જેના કારણે અચાનક પૂર આવ્યું હતું. આ પૂરમાં 14 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. સેનાના 22 જવાનો સહિત 102 લોકો ગુમ થયાના અહેવાલ છે. તમામ મૃતકોની ઓળખ નાગરિક તરીકે કરવામાં આવી છે. આ મૃતકોમાંથી ત્રણના મૃતદેહ ઉત્તર બંગાળમાંથી મળી આવ્યા હતા. ગુમ થયેલા સેનાના 23 જવાનોમાંથી એક જવાનને બચાવી લેવામાં આવ્યો છે. સૈનિકની સારવાર ચાલી રહી છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ કેટલાક સેટેલાઈટ ફોટો જાહેર કર્યા છે. તેમને જોયા પછી સ્પષ્ટ થાય છે કે તળાવનું પાણી કેવી રીતે ખતમ થઈ ગયું અને બાકીનો ભાગ સુકાઈ ગયો. અધિકારીઓએ જણાવ્યું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે સિક્કિમમાં સવારે 1.30 વાગ્યાની આસપાસ શરૂ થયેલ પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. સિક્કિમના મુખ્ય સચિવ વીબી પાઠકે જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાંથી 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના ઘણા વિસ્તારોમાં ફસાયેલા છે.
ઈસરોએ તબાહીને તસવીરોમાં કરી કેદ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ પોતાના સેટેલાઈટ દ્વારા સિક્કિમમાં દુર્ઘટના પહેલા અને પછીની તસવીરો જાહેર કરી છે. તેમને જોયા પછી સ્પષ્ટ થાય છે કે તળાવનું પાણી કેવી રીતે ખતમ થઈ ગયું અને બાકીનો ભાગ સુકાઈ ગયો. 17 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરે લીધેલા ફોટોગ્રાફ્સમાં, ગોળી આકારનું તળાવ અનુક્રમે 162.7 હેક્ટર અને 167.4 હેક્ટરમાં ફેલાયેલું હતું. 4 ઑક્ટોબરે સવારે 6 વાગ્યે લેવાયેલી તસવીરને જોતા ખબર પડે છે કે તળાવનું કદ ઘટીને અડધાથી પણ ઓછું થઈ ગયું છે. તેણે 100 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું પાણી ગુમાવ્યું છે અને હવે માત્ર 60.3 હેક્ટરમાં જ પાણી ઉપલબ્ધ છે.
ડેમની સુરંગોમાં લોકો ફસાયા છે
રાજ્યના કેટલાક ભાગોમાં 3,000 થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. ચુંગથાંગમાં તિસ્તા સ્ટેજ 3 ડેમ પર કામ કરી રહેલા 12-14 મજૂરો હજુ પણ ડેમની ટનલમાં ફસાયેલા છે. મંગન જિલ્લાના ચુંગથાંગ અને ગંગટોક જિલ્લાના ડિકચુ, સિંગતમ અને પાક્યોંગ જિલ્લાના રંગપોમાં ઇજાઓ અને ગુમ થયેલા લોકોના અહેવાલ છે.
સિક્કિમમાં પૂરના કારણે 14 પુલ ધરાશાયી થયા છે
સિક્કિમમાં અચાનક પૂરના કારણે 14 પુલ ધરાશાયી થયા છે. જેમાંથી 9 બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) હેઠળ આવે છે. આ ઉપરાંત 5 બ્રિજ રાજ્ય સરકારના છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 166 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં સેનાના જવાનો પણ સામેલ છે.