Uttarkashi Tunnel Rescue: 16 દિવસ બાદ ઉત્તરકાશી ટનલમાંથી બહાર આવ્યા 41 મજૂર, ફૂલોના હારથી કરવામાં આવ્યું સ્વાગત | Moneycontrol Gujarati
Get App

Uttarkashi Tunnel Rescue: 16 દિવસ બાદ ઉત્તરકાશી ટનલમાંથી બહાર આવ્યા 41 મજૂર, ફૂલોના હારથી કરવામાં આવ્યું સ્વાગત

400 કલાક અને 17 દિવસ પછી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. અત્યાર સુધી પાંચ મજૂરો બહાર આવ્યા છે.

અપડેટેડ 09:00:04 PM Nov 28, 2023 પર
Story continues below Advertisement

ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. આખરે 17 દિવસ બાદ મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી પાંચ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ સહિત તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. મજૂરોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે.

33 મજૂરો આવી ગયા બહાર

ઉત્તરકાશીની ટનલમાં 12 નવેમ્બરથી અંદર ફસાયેલા 41 મજૂરોમાંથી 33 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ મજૂરોની મેડિકલ તપાસ કરવામાં આવશે. ટનલમાં મેડિકલ ટીમ પણ હાજર છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ બહાર આવેલા મજૂરો સાથે મુલાકાત કરી રહ્યાં છે.


સાંજે 8.00 વાગ્યા સુધી 18 મજૂરો આવ્યા બહાર

સાંજે 8.00 વાગ્યા સુધી 18 મજૂરોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોના પરિવારજનો ગરમ ચા અને ઠંડીના કપડા લઈને ટનલની અંદર ગયા છે.

 

મુખ્યમંત્રી ધામીએ રેસ્ક્યૂ ટીમની કરી પ્રશંસા

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર આવેલા શ્રમિકો સાથે મુલાકાત કરી છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ત્યાં હાજર છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શ્રમિકો અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા કર્મીઓના મનોબળ અને સાહસની પ્રશંસા કરી છે. બહાર આવેલા શ્રમિકોના પરિવારજનો પણ ટનલની બહાર હાજર છે. ટનલમાંથી બહાર આવેલા મજૂરોને મેડિકલ તપાસ માટે ટનલમાં બનેલા અસ્થાયી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2023 9:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.