MSSC: મહિલાઓ માટે 1 એપ્રિલથી શરૂ થઈ નવી બચત યોજના, જાણો ફાયદા
મહિલા સન્માન બચત યોજના નાની બચત યોજના છે. તમે તેમાં માર્ચ 2025 સુધી રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ મહિલાઓ અને દિકરીઓ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં સેવિંગ પર 7.5 ટકા વ્યાજ મળે છે. સરકારે હવે આ યોજના અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ યોજના હેઠળ, વ્યાજ ત્રિમાસિક ધોરણે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્લાનમાં આંશિક ઉપાડની પણ જોગવાઈ છે.
MSSC Scheme: બજેટ 2023માં ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે મહિલા ઇન્વેસ્ટરો માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્રો (MSSC) ની જાહેરાત કરી હતી. આ યોજના હવે સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવા સાથે અમલમાં આવી છે. નાણા મંત્રાલય (Ministry of Finance)નું કહેવું છે કે તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ યોજના દેશની 1.59 લાખ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશમાં મહિલાઓના સશક્તિકરણ (empowerment of women) માટે પ્રતિબદ્ધ છે.
તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારતીય ટપાલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર છે. આ સરકારી યોજના મહિલાઓને ઓછા સમયમાં વધુ સારું વળતર આપશે. આ સ્કીમમાં માત્ર મહિલાઓ જ રોકાણ કરી શકે છે.
જાણો શું છે પ્લાન
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એ નાની બચત યોજના છે. તમે તેમાં માર્ચ 2025 સુધી રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ મહિલાઓ અને દિકરીઓ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. તે જ સમયે, ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં બચત પર 7.5 ટકા વ્યાજ મળે છે. આ એક સરકારી યોજના છે. તેથી તેમાં કોઈપણ પ્રકારનું જોખમ નથી. આમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. આમાં માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ યોજના હેઠળ, વ્યાજ ત્રિમાસિક ધોરણે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્લાનમાં આંશિક ઉપાડની પણ જોગવાઈ છે. કોઈપણ મહિલા પોતાના નામે મહિલા સન્માન બચત ખાતું ખોલાવી શકે છે. જ્યારે ગાર્ડિયન મહિલા સન્માન સેવિંગ એકાઉન્ટ સગીર છોકરીના નામે ખોલાવી શકાય છે.
અમારી સરકાર મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને "મહિલા સન્માન બચત પત્ર" તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.-
મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં ઇન્વેસ્ટ કરવા પર કોઈ કર બેનિફિટ નહીં મળે. જો કે, સામાન્ય નિયમો મુજબ, આ સ્કીમ પર વ્યાજના માધ્યમથી મળેલી આવક પર ટેક્સ લાગશે. નિષ્ણાતો કહે છે કે આ યોજના દ્વારા મહિલાઓને તેમના નાણાકીય ટાર્ગેટ્સ પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
મહિલાઓ પાસે લાખો રૂપિયા જમા થશે
જો કોઈ મહિલા આ સ્કીમમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. આ રકમ 2 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. વ્યાજની રકમ ત્રણ મહિના પછી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ મુજબ બે વર્ષમાં 2.32 લાખ રૂપિયા મહિલાઓ પાસે જમા કરાવવામાં આવશે. બીજી તરફ, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર સુકન્યા સમૃદ્ધિ યોજના કરતાં વધુ સારું લાગે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લોક-ઇન સમયગાળો 21 વર્ષનો છે. જ્યારે અહીં રિટર્ન 2 વર્ષમાં મળશે.