સુગર લેવલ આટલાંથી વધ્યું તો ભારે પડી જશે

આટલાંથી સુગર લેવલ વધ્યું તો ભારે પડી જશે

દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દરેક ઉંમરના લોકો તેની ઝપેટમાં આવી રહ્યાં છે.

વૃદ્ધો ઉપરાંત યુવાઓને પણ ડાયાબિટીસ ઝપેટમાં લઇ રહ્યું છે.

તેનું કારણ ખરાબ ખાનપાન અને લાઇફ સ્ટાઇલ માનવામાં આવે છે. ડાયાબિટીસની બીમારીનો કોઇ ઇલાજ નથી.

બ્લડ સુગરના દર્દીઓને યોગ્ય ડાયેટની સાથે એક્સરસાઇઝ કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું બ્લડ સુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી હોય છે.

સામાન્ય રીતે  140 mg/dLથી ઓછુ બ્લડ સુગર લેવલ સામાન્ય માનવામાં આવે છે.

જો તે 200 mg/dLથી ઉપર હોય તો તેનો અર્થ છે કે તમારુ સુગર વધેલું છે.

જ્યારે બ્લડ સુગર લેવલ 300 કે  400 mg/dl થઇ જાય તો વધુ તરસ લાગે છે. તેમાં વારંવાર પેશાબ લાગે છે.

આ ઉપરાંત વધારે નબળાઇ, બેચેની, જોવામાં સમસ્યા, પેટમાં દુખાવો જેવી સમસ્યા વધે છે.

બ્રેડ જેવા કાર્બ્સનું સેવન ન કરો. તમારા ડાયેટમાં ફળ, શાકભાજી, આખા અનાજને જરૂર સામેલ કરો.

ડાયાબિટીસના દર્દીને દિવસમાં ઓછામાં ઓછા 2થી 3 લીટર પાણી પીવું જોઇએ. તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

જો શરીરમાં થઈ રહ્યા છે આ ફેરફાર, તો સમજો આવી રહ્યું છે યમરાજનું તેડું
Find out More