Budget 2023: કેન્દ્રીય બજેટ રજૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આવી સ્થિતિમાં ટેક્સપેયરની અપેક્ષાઓ વધી રહી છે. 2024માં સામાન્ય ચૂંટણી થવાની હોવાથી મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. ટેક્સપેયરની કેટલીક અપેક્ષાઓ લાંબા સમયથી છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે શું નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. જાણો સરકાર પાસેથી નોકરી કરતા લોકોની મુખ્ય 6 અપેક્ષાઓ...
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો
પગારદાર વ્યક્તિઓ માટે આવકવેરો સરળ બનાવવાના પગલા તરીકે વર્ષ 2018માં સ્ટાન્ડર્ડ ડિડક્શનની રજૂઆત કરવામાં આવી હતી અને તેની લિમિટ રૂપિયા 50,000 હતી. આ એક ખાસ કપાત છે અને તેણે મેડિકલ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવી છૂટને બદલી નાખી છે જે અગાઉ પગારદાર ટેક્સપેયર માટે ઉપલબ્ધ હતી. અન્ય ભથ્થાઓનો સમાવેશ કરીને તેને વધારીને રૂ. 1,00,000 કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે.
નવી ટેક્સ વ્યવસ્થામાં ફેરફાર
નવી ટેક્સ વ્યવસ્થા: નવી ટેક્સ સિસ્ટમ નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં બહુ ઓછા લોકોએ તેને અપનાવી છે. અત્યાર સુધી વ્યક્તિએ પહેલા પોતાના માટે જૂની અને નવી સિસ્ટમની ઉપયોગિતા તપાસવાની હોય છે અને મોટા ભાગના કિસ્સાઓમાં ટેક્સની અસર જૂની ટેક્સ સિસ્ટમ કરતાં નવી સિસ્ટમમાં વધુ જોવા મળે છે. તેને ખરેખર સફળ બનાવવા માટે વધુ ટેક્સપેયર માટે તેને એક્સેટેબલ બનાવવા માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની જરૂર છે. મૂળભૂત મુક્તિની રકમમાં વધારો કરીને અને દરો ઘટાડીને તેમજ દરેક સ્લેબ માટે ટેક્સના દરોમાં ફેરફાર કરીને તેને વ્યવહારુ બનાવવાની જરૂર છે.
જૂની સિસ્ટમમાં સ્લેબ બદલો, બેસિક છૂટ 5 લાખ હોય
ઘણા વર્ષોથી બેસિક એઝમ્પશન લિમિટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે જીવનનિર્વાહનો ખર્ચ અનેકગણો વધી ગયો છે. આવકવેરા અધિનિયમની કલમ 87A હેઠળ, 12,500 રૂપિયાની ટેક્સ છૂટ ફક્ત તે લોકોને આપવામાં આવી છે જેમની આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5%, 5 લાખથી વધુ અને 10 લાખ રૂપિયાથી ઓછી આવક પર 20% ટેક્સ લાગે છે. જો કે, રૂ. 5 લાખથી વધુની આવક માટે રૂ. 12,500ની છૂટ ઉપલબ્ધ નથી, જે ટેક્સનું ભારણ વધારે છે.
કલમ 80C હેઠળ કપાતમાં વધારો
કલમ 80C હેઠળ કપાત: કલમ 80C જીવન વીમા, PPF, PF અને અન્ય કર બચત વિકલ્પોના સંદર્ભમાં કપાતની જોગવાઈ કરે છે અને તેની મર્યાદા રૂ. 1.50 લાખ છે. આ મર્યાદા ઘણા વર્ષોથી બદલાઈ નથી અને તેને વધારીને 3 લાખ રૂપિયા કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે.
કલમ 80D હેઠળ કપાતમાં વધારો
હાલમાં, 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને કલમ 80D હેઠળ રૂ. 25,000 સુધીનું આરોગ્ય વીમા પ્રિમિયમ અને રૂ. 5,000 (મર્યાદાની અંદર) સુધીની આરોગ્ય તપાસની છૂટ છે. ભારતમાં સારવારની કિંમત અને પ્રીમિયમ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. તેથી, આ કલમ હેઠળ સારવારના ખર્ચની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવી જોઈએ.
કબજે કરેલી અને ભાડે લીધેલી મિલકત પર વ્યાજ માટે કપાતમાં વધારો થયો
મોટાભાગના શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં એપાર્ટમેન્ટના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે વ્યાજદરમાં વધારાની અસર હાલના અને નવા ઘર ખરીદનારા બંને પર પડી છે. જો કે, આવકવેરા કાયદા હેઠળ હોમ લોન પર વ્યાજ પરની કપાત ઘણા વર્ષોથી 2 લાખ રૂપિયા સુધી મર્યાદિત છે. આ સિવાય કલમ 80C હેઠળ મૂળ રકમ પર 1.5 લાખ રૂપિયાની કપાત ઉપલબ્ધ છે. પરંતુ જો પીએફ, વીમો, શાળાની ફી વગેરે ઉમેરવામાં આવે તો આ મર્યાદા ઓછી થઈ જાય છે. તેથી, હોમ લોનની મુદ્દલની ચુકવણીના સંદર્ભમાં અલગ કપાતની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.
(અભિષેક અનેજા વ્યવસાયે CA છે)