Union Budget 2023: હવે આયુષ્માન ભારત યોજનાનો લાભ મિડલ ક્લાસને પણ મળશે, 1 ફેબ્રુઆરીના બજેટમાં થશે જાહેરાત - union budget 2023 now ayushman bharat yojana will also benefit the middle class it will be announced in the february 1 budget | Moneycontrol Gujarati
Get App

Union Budget 2023: હવે આયુષ્માન ભારત યોજનાનો લાભ મિડલ ક્લાસને પણ મળશે, 1 ફેબ્રુઆરીના બજેટમાં થશે જાહેરાત

Budget 2023: હાલમાં આયુષ્માન ભારત યોજના (AB PM-JAY)ના દાયરામાં માત્ર આર્થિક રૂપથી નબળા વર્ગના લોકો જ આવે છે. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયાનું ફ્રી હેલ્થ કવર મળે છે. નીતિ આયોગે આ યોજના હેઠળ મધ્યમ વર્ગને પણ લાવવાની ભલામણ કરી હતી.

અપડેટેડ 11:17:02 AM Jan 19, 2023 પર
Story continues below Advertisement

Budget 2023: મધ્યમ વર્ગના લોકો માટે સારી સામાચાર છે. સરકાર આયુષ્માન ભારત યોજનાના દાયરામાં વધી રહી છે. મિન્ટમાં છપાયા રિપેટમાં કહ્યપં હતું કે યૂનિયન બજેટ 2023 (budget 2023)માં આયુષ્માન ભારત યોજના વડાપ્રધાન જન આરોગ્ય યોજના (AB PM-JAY)ના દાયરામાં વધાવાની જાહેરાત કરી શકે છે. હવે તેમાં ફાયદો માત્ર આર્થિક રૂપથી નબળા વર્ગના લોકો જ આવે છે. નેશનલ હેલ્થ અથૉરિટી (NHA)એ સરકારને આ સ્કીમનો દાયરો વધવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે આ સ્કીમનો લાભ સમાદના તે વર્ગને પણ આપવામાં આવશે, જેની પાસે હેલ્થ ઇન્શ્યોરેન્સ પૂરી રીતે મળતી નથી. મનીકંટ્રોલ સ્વતંત્ર રૂપથી આ સમાયને વેરિફાઈ નથી થઈ શકી.

યોજનામાં 5 લાખ રૂપિયા સુધીનું ફ્રી હેલ્થ કવર મળે છે

AB PM-JAY સપ્ટેમ્બર 2018 માં લૉન્ચ કરવામાં આવી હતી. તેના હેઠળ 5 લાખ રૂપિયા સુધીનું ફ્રી હેલ્થ કવર મળે છે. 14 કરોડ પરિવારો આ યોજનાના દાયરામાં આવ્યા છે. લગભગ 72 કરોડ લોકોને તેનો લાભ મળી રહ્યો છે. આ વસ્તીનું લગભગ 60 ટકા છે. દેશમાં લગભગ 25 કરોડ લોકોની પાસે પ્રાઈવેટ ઇન્શ્યોરેન્સ છે. હવે આવા 40 કરોડ લોકો છે, જેની પાસે કોઈ હેલ્થ પૉલિસી નથી. આ જાણકારી નીતિ આયોગના રિપોર્ટ પર આધારિત છે. આ રિપોર્ટ ઓક્ટોબર 2021માં આવી હતી.

નીતિ આયોગે મિડલ ક્લાસની યોજનાના હેઠળ લાવાની ભલામણ કરી હતી

નીતિ આયોગે મિકલ ક્લાસને આયુષ્માન ભારત યોજનાના હેઠ લાવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે તે વર્ગ આયુષ્માન ભારત સ્કીમના દાયરામાં નથી. તેની પાસે આટલા પૈસા નથી કે તે પોતે હેલ્થ ઇન્સ્યોરેન્સ ખરીદી શકે. આ વર્ગને સારવાર પર આવતા ખર્ચમાં મદદની જરૂરત છે. વર્લ્ડ બેન્કની રિપોર્ટમાં ગત વર્ષ કહ્યું હતું કે પોતાના ખીસાથી પોતાના સારવાર પર આવતા ખર્ચ કરવાથી લગભગ 50 કરોડ લોકો અત્યંત ગરીબીમાં પહોંચી ગયા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jan 18, 2023 5:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.