SBIએ કસ્ટમર્સને કર્યા એલર્ટ, ડીપફેક વીડિયો દ્વારા હાઇ રિટર્ન આપવાનો ખોટો દાવો | Moneycontrol Gujarati
Get App

SBIએ કસ્ટમર્સને કર્યા એલર્ટ, ડીપફેક વીડિયો દ્વારા હાઇ રિટર્ન આપવાનો ખોટો દાવો

આ વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવે છે કે SBIએ ભારત સરકાર અને કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત રોકાણ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જે રોકાણકારોને મોટું રિટર્ન આપે છે. SBIએ સ્પષ્ટ કર્યું છે કે આવા દાવા સંપૂર્ણપણે ખોટા છે અને આવી કોઈ યોજના અસ્તિત્વમાં નથી.

અપડેટેડ 06:00:11 PM Apr 23, 2025 પર
Story continues below Advertisement
આવા વીડિયોમાં ખોટી રોકાણ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી લોકો ઠગાઈનો શિકાર બનીને પૈસા રોકે.

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પોતાના ખાતાધારકો અને સામાન્ય લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતા ડીપફેક સ્કેમ વીડિયો અંગે સાવધાન રહેવા જણાવ્યું છે. બેન્કે એક જાહેર સૂચના જારી કરીને આવા ડીપફેક વીડિયો સામે ચેતવણી આપી છે. આ વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવે છે કે SBIએ ભારત સરકાર અને કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત રોકાણ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જે રોકાણકારોને મોટું રિટર્ન આપે છે. SBIએ સ્પષ્ટ કર્યું છે કે આવા દાવા સંપૂર્ણપણે ખોટા છે અને આવી કોઈ યોજના અસ્તિત્વમાં નથી.

SBIની કસ્ટમર્સને સલાહ

SBIએ કસ્ટમર્સ અને સામાન્ય લોકોને સલાહ આપી છે કે કોઈપણ માહિતીની સત્યતા ફક્ત બેન્કની અધિકૃત વેબસાઈટ, અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અથવા નજીકની શાખા દ્વારા જ ચકાસવી. બેન્કે લોકોને આવા ડીપફેક વીડિયોના ખોટા વાયદાઓથી બચવા અને તેનો શિકાર ન બનવા અપીલ કરી છે. SBIએ પોતાના અધિકૃત X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, “અમે અમારા કસ્ટમર્સ અને જનતાને સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીપફેક વીડિયો અંગે ચેતવણી આપીએ છીએ. આ વીડિયોમાં SBI, ભારત સરકાર અને મલ્ટિનેશનલ કંપનીઓ સાથે મળીને AI આધારિત રોકાણ યોજના શરૂ કરવાનો ખોટો દાવો કરવામાં આવે છે. આવી કોઈ યોજના નથી, સાવધાન રહો.”


ડીપફેક વીડિયો સ્કેમ કેવી રીતે કામ કરે છે?

ઠગાઈ કરનારા હવે ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના દ્વારા તેઓ જાણીતી હસ્તીઓ અથવા વરિષ્ઠ અધિકારીઓના નકલી વીડિયો બનાવે છે. આ વીડિયો એટલા વાસ્તવિક લાગે છે કે લોકો સરળતાથી તેના પર ભરોસો કરી લે છે. આવા વીડિયોમાં ખોટી રોકાણ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી લોકો ઠગાઈનો શિકાર બનીને પૈસા રોકે.

આ પણ વાંચો-પહેલગામ આતંકવાદી હુમલા પર સંરક્ષણમંત્રી રાજનાથસિંહનું પહેલું નિવેદન, કહ્યું- 'ટૂંક સમયમાં આપીશું યોગ્ય જવાબ...'

MoneyControl News

MoneyControl News

First Published: Apr 23, 2025 6:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.