BAPS Eiffel Tower controversy: ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા જગપ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે એક મોટો વિવાદ ઊભો થયો છે. હિન્દુ ધાર્મિક સંસ્થા BAPSના સંતો અને હરિભક્તોની મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને ફરજ પરથી હટાવી દેવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ ઘટના બાદ સ્ટાફમાં એટલો રોષ ફેલાયો કે વિરોધ પ્રદર્શનના કારણે એફિલ ટાવરને થોડા સમય માટે બંધ રાખવાની નોબત આવી હતી.
મહિલા સ્ટાફને હટાવવાનો ગંભીર આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, BAPS સાથે જોડાયેલા આશરે 100 લોકોનું એક પ્રતિનિધિમંડળ એફિલ ટાવરની ખાનગી મુલાકાતે ગયું હતું. યુનિયનના પ્રતિનિધિ ડિયાન ડેવોઇને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જ્યારે આ સંતો અને કાર્યકરો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન પરથી હટી જવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓ ફરજ બજાવી શકે.
કર્મચારીઓનો વિરોધ અને મેનેજમેન્ટની માફી
આ ઘટના પછી કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. સપ્તાહના અંતે તણાવ વધતા સોમવારે સવારે સ્ટાફે એક તાકીદની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો. આ વિરોધ બેઠકને કારણે એફિલ ટાવર તેના નિયમિત સમય કરતા મોડો ખુલ્યો હતો અને ગેટ પર ઓપરેશનલ કારણોસર વિલંબનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. વધતા વિવાદને જોતા અંતે એફિલ ટાવરના મેનેજમેન્ટે પોતાના સ્ટાફની માફી માંગી લીધી છે.
Nous comprenons les préoccupations exprimées et les prenons très au sérieux.
Compte tenu de la taille de notre délégation, la visite a été organisée en coordination avec les équipes de la tour Eiffel, au début des horaires habituels d’ouverture, afin de limiter autant que… pic.twitter.com/gyiwzmh6Jv — BAPS Mandir Swaminarayan Hindou de Paris (@BAPSParis) September 7, 2026
BAPSનું સત્તાવાર નિવેદન
આ સમગ્ર મામલે BAPS દ્વારા પણ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે આ મુલાકાતનું આયોજન એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે મળીને જ કરવામાં આવ્યું હતું, જેથી સામાન્ય પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે. મુલાકાત દરમિયાન કોઈ અન્ય પ્રવાસીને પ્રવેશ આપવામાં ન આવ્યો હોય તેવું સંસ્થાના ધ્યાનમાં આવ્યું નથી. સંસ્થાએ ખેદ વ્યક્ત કરતા કહ્યું છે કે, "આ પરિસ્થિતિથી જો કોઈને પણ દુઃખ પહોંચ્યું હોય કે અસુવિધા થઈ હોય, તો અમે દિલગીર છીએ અને માફી માંગીએ છીએ. અમે પરસ્પર આદર અને સમાનતાના સિદ્ધાંતો પ્રત્યે કટિબદ્ધ છીએ."
Je prends connaissance du mouvement de colère des salarié·es de la tour Eiffel et je veux leur dire que leur mécontentement est légitime. Il n’est pas acceptable que de telles conditions puissent être tolérées. Ce ne sont ni mes valeurs, ni celles que doit porter la tour Eiffel,… https://t.co/3srttJpxPo — Emmanuel Grégoire (@egregoire) September 7, 2026
ફ્રાન્સના નેતાઓમાં ભારે રોષ અને તપાસના આદેશ
આ વિવાદ હવે ફ્રાન્સના રાજકારણમાં પણ ગરમાયો છે. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કામદારોની ચિંતા બિલકુલ વ્યાજબી છે અને પેરિસના કોઈપણ ઐતિહાસિક સ્થળે લિંગભેદ વિના સ્ત્રી-પુરુષ સમાનતા જળવાવી જ જોઈએ. આ ઉપરાંત, ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ યાએલ બ્રૉન-પિવેટે પણ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "વિદેશી મહેમાનોની માંગ સંતોષવા માટે મહિલાઓને અદૃશ્ય થવાનું કહેવું હું સ્વીકારી શકું નહીં. અન્યનું સ્વાગત કરવાનો અર્થ આપણા મૂલ્યો સાથે બાંધછોડ કરવાનો નથી હોતો." એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ એવો દાવો કર્યો છે કે, BAPS તરફથી અગાઉથી જ એવી વિનંતી કરવામાં આવી હતી કે તેમની મુલાકાત દરમિયાન "મહિલાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા મર્યાદિત રહે."
Je refuse que des femmes soient sommées de s’effacer pour satisfaire les exigences de visiteurs étrangers. Accueillir ne signifie jamais renoncer à nos valeurs. En France, les femmes occupent pleinement l’espace public. Personne ne leur dicte d’y devenir invisibles. https://t.co/GrS5qAErgP
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રવિવારે જ પેરિસ નજીક BAPS દ્વારા ફ્રાન્સના પ્રથમ ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશેષ રૂપે જોડાયા હતા.