ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે 16 લોકોના લીધા જીવ, આરોગ્ય મંત્રીએ કહ્યું - સંક્રમણના 50 કેસ નોંધાયા | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે 16 લોકોના લીધા જીવ, આરોગ્ય મંત્રીએ કહ્યું - સંક્રમણના 50 કેસ નોંધાયા

ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 50 કેસ નોંધાયા છે. આ સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.

અપડેટેડ 01:50:47 PM Jul 21, 2024 પર
Story continues below Advertisement
બાળકોમાં ચાંદીપુરા વાયરલના લક્ષણો જોવા મળ્યા

ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 50 કેસ નોંધાયા છે. રાજ્યમાં શંકાસ્પદ વાયરસના કારણે અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે હિંમતપુરમાં ચાંદીપુરા વાયરસના કુલ 14 કેસ નોંધાયા છે, જેમાંથી સાત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. પટેલે જણાવ્યું હતું કે, "ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 50 કેસ નોંધાયા છે અને 16 લોકોએ જીવ ગુમાવ્યો છે." તેમણે કહ્યું કે દરેક ગામ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં આ અંગેની માહિતી પ્રસારિત કરવામાં આવી છે.

બાળકોમાં ચાંદીપુરા વાયરલના લક્ષણો જોવા મળ્યા

મુખ્યમંત્રીએ કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) અને મેડિકલ કોલેજો સાથે પણ બેઠકો યોજી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં બાળકોમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે, જેના કારણે થોડો ભય પેદા થયો છે. લેબોરેટરી પરીક્ષણ માટે સાત કેસ પુણે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ચાંદીપુરા વાયરસનો એક કેસ મળ્યો હતો. તાવ અને ઝાડા જેવા તમામ લક્ષણો માટે એકલો ચાંદીપુરા વાયરસ જવાબદાર નથી. તે એન્સેફાલીટીસને કારણે પણ થઈ શકે છે. વાઈરલ અંગેની મહત્વની માહિતી સમગ્ર રાજ્યમાં પ્રસારિત કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી

જણાવી દઈએ કે, આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંદીપુરા વાઈરસ વચ્ચે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રોગચાળાને કાબૂમાં લેવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. ગુજરાતના માહિતી વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. સીએમ પટેલે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી અને તેમના જિલ્લાઓની કામગીરીની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ આ રોગને રોકવા માટે જિલ્લાઓમાં મેલેથીઓન પાવડરનો છંટકાવ કરવાની ઝુંબેશ ચલાવવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. તેમણે અધિકારીઓને કોઈપણ પ્રકારના તાવથી પીડિત દર્દીઓની તાત્કાલિક અને સઘન સારવાર સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.


આ પણ વાંચો - Budget: પેન્શનમાં ફેરફારની તૈયારી, સરકારી કર્મચારીઓને મળી શકે છે ભેટ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 21, 2024 1:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.