અન્ય વીમા કંપનીઓમાં Bajaj Allianz General Insuranceને પર્સનલ અકસ્માત કવર અને મરીન કાર્ગો સંબંધિત દાવા મળ્યા છે.
અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પછી વીમા કંપનીઓને પીડિતોના પરિવારજનો તરફથી અનેક પ્રકારના ઇન્શ્યોરન્સ ક્લેઇમ મળી રહ્યા છે. આમાં જીવન વીમા, અકસ્માત મૃત્યુ કવર, હોટલ બુકિંગ કેન્સલેશન, સામાન ગુમ થવા અને ટ્રિપ પ્લાન કેન્સલેશન જેવા દાવા મુખ્ય છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા, જ્યારે જે જગ્યા પર પ્લેન પડ્યું હતું ત્યા હજાર 19થી વધુ લોકોના જીવ ગયા હતા.
દુર્ઘટનાની વિગતો અને તપાસ
આ વર્ષના 12 જૂનના દિવસે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 Boeing-787 Dreamliner ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. વિમાન મેઘાનીનગર વિસ્તારમાં એક મેડિકલ કોલેજના હોસ્ટેલમાં ઘૂસી ગયું હતું. વિમાનમાં સવાર 242 વ્યક્તિઓમાંથી માત્ર એક વ્યક્તિ જીવિત બચી હતી, બાકીના 241ના મોત થયા હતા. આ દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે અને નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટના ભારતમાં છેલ્લા એક દાયકાની સૌથી મોટી હવાઈ દુર્ઘટના તરીકે ઓળખાઈ રહી છે.
વીમા કંપનીઓને મળેલા મુખ્ય ક્લેઇમ
પીડિતોના પરિવારજનો તરફથી વીમા કંપનીઓને વિવિધ પ્રકારના દાવા મળી રહ્યા છે. ICICI Lombard વીમા કંપનીએ જણાવ્યું કે તેમને મુખ્યત્વે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને પર્સનલ અકસ્માત વીમા હેઠળ ક્લેઇમ મળ્યા છે. આમાં અકસ્માત મૃત્યુ, યાત્રા કેન્સલેશન, સામાન ગુમ થવા અને હોટલ રિફંડ જેવા દાવા સામેલ છે. કંપનીના હેલ્થ પ્રોડક્ટ, ઓપરેશન્સ અને સર્વિસીઝના ચીફ પ્રિયા દેશમુખે કહ્યું કે, "અમે આ મુશ્કેલ સમયમાં અમારા પોલિસીહોલ્ડર્સ અને તેમના પરિવારને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે તેમના ક્લેઇમનું ઝડપી અને પ્રાથમિકતા આધારે નિરાકરણ કરી રહ્યા છીએ."
અન્ય વીમા કંપનીઓમાં Bajaj Allianz General Insuranceને પર્સનલ અકસ્માત કવર અને મરીન કાર્ગો સંબંધિત દાવા મળ્યા છે. તેમને ત્રણ પર્સનલ અકસ્માત અને એક મરીન કાર્ગો ક્લેઇમ મળ્યા છે. મરીન કાર્ગો વીમા સામાન્ય રીતે સડક, રેલ, હવાઈ, સમુદ્રી અથવા કુરિયર માર્ગે જતા માલને કવર કરે છે.
New India Assurance કંપનીએ સાત વ્યક્તિગત અકસ્માત અને પાંચ ગ્રુપ પર્સનલ અકસ્માત ક્લેઇમનું નિરાકરણ કર્યું છે. આ ઉપરાંત, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ 50,000 રૂપિયાનો એક દાવો મળ્યો છે. જીવન વીમા પછી પર્સનલ અકસ્માત ક્લેઇમ આ દુર્ઘટનામાં બીજા ક્રમે છે. મોટાભાગની વીમા કંપનીઓએ ક્લેઇમની સંખ્યા જાહેર કરી નથી, કારણ કે પ્રક્રિયા ચાલુ છે.
IRDAIના નિર્દેશ અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ
દુર્ઘટના પછી ભારતીય વીમા નિયમન અને વિકાસ પ્રાધિકરણ એટલે કે IRDAIએ તમામ વીમા કંપનીઓને ક્લેઇમનું ઝડપી નિરાકરણ કરવાના નિર્દેશ આપ્યા હતા. 14 જૂને જારી કરાયેલા સર્ક્યુલરમાં કહેવાયું કે 16 જૂનથી ક્લેઇમ અપડેટ સાપ્તાહિક જાહેર કરવા. આ દુર્ઘટના પછી વીમા ક્લેઇમની પ્રક્રિયા પીડિત પરિવારો માટે મહત્વપૂર્ણ છે અને કંપનીઓ તેને પ્રાથમિકતા આપી રહી છે.