દેશમાં કોરોનાનો ફરી ખતરો: 24 કલાકમાં 4 મોત, 3300થી વધુ એક્ટિવ કેસ, ગુજરાતમાં 265 કેસ | Moneycontrol Gujarati
Get App

દેશમાં કોરોનાનો ફરી ખતરો: 24 કલાકમાં 4 મોત, 3300થી વધુ એક્ટિવ કેસ, ગુજરાતમાં 265 કેસ

કોરોના વાયરસના વધતા કેસ દેશ અને ગુજરાત માટે ચેતવણી સમાન છે. નિષ્ણાતોનું માનવું છે કે સાવચેતીના પગલાં અને સમયસર ટેસ્ટિંગથી આ મહામારીને નિયંત્રણમાં લાવી શકાય છે. ગુજરાતમાં 265 એક્ટિવ કેસ અને દેશમાં 3395 એક્ટિવ કેસ સાથે, લોકોને સજાગ રહેવા અને સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

અપડેટેડ 11:00:14 AM Jun 01, 2025 પર
Story continues below Advertisement
આ વેરિયન્ટ્સમાં સ્પાઇક પ્રોટીનમાં ફેરફાર થયા છે, જેના કારણે તે ઝડપથી ફેલાઈ રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસ ફરી એકવાર ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા 3395એ પહોંચી ગઈ છે, જે ચિંતાનો વિષાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે ચાર દર્દીઓના મોત નોંધાયા છે, જેમાં દિલ્હી, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં એક-એક મોતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે, જ્યાં હાલ 265 એક્ટિવ કેસ નોંધાયા છે.

કેરળ બન્યું કોરોનાનું એપીસેન્ટર

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, કેરળમાં હાલ સૌથી વધુ 1336 એક્ટિવ કોરોના કેસ છે, જે દેશમાં સૌથી વધુ છે. કેરળ પછી મહારાષ્ટ્રમાં 467, દિલ્હીમાં 375, ગુજરાતમાં 265, કર્ણાટકમાં 234, પશ્ચિમ બંગાળમાં 205, તમિલનાડુમાં 185 અને ઉત્તર પ્રદેશમાં 117 એક્ટિવ કેસ નોંધાયા છે. કેરળ સરકારે કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને લોકોને માસ્ક પહેરવા, સમયાંતરે હાથ ધોવા અને ભીડભાડવાળી જગ્યાઓ ટાળવાની સલાહ આપી છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં હાલ 265 એક્ટિવ કેસ છે, જેમાંથી અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વધુ કેસ નોંધાયા છે. તાજેતરમાં એક 8 મહિનાની બાળકીને ઓક્સિજન સપોર્ટ પર રાખવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે, જે રાજ્યમાં ચિંતા વધારે છે. ગુજરાત સરકારે લોકોને સાવચેતી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.


કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે?

આંકડા દર્શાવે છે કે 22 મેના રોજ દેશમાં માત્ર 257 એક્ટિવ કેસ હતા, પરંતુ માત્ર ચાર દિવસમાં આ સંખ્યા 1010એ પહોંચી ગઈ. 31 મેના રોજ આ આંકડો વધીને 3395 થયો, જેમાં છેલ્લા 24 કલાકમાં 685 નવા કેસ નોંધાયા. ડોક્ટરોનું માનવું છે કે નવા સબ-વેરિયન્ટ NB.1.8.1 અને L.F.7ના કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. આ બંને વેરિયન્ટ્સને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા “સર્વેલન્સ હેઠળના વેરિયન્ટ્સ” તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેનો અર્થ થાય છે કે તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ વેરિયન્ટ્સમાં સ્પાઇક પ્રોટીનમાં ફેરફાર થયા છે, જેના કારણે તે ઝડપથી ફેલાઈ રહ્યા છે. ચીન અને એશિયાના અન્ય ભાગોમાં કોવિડ-19ના કેસમાં વધારા માટે આ વેરિયન્ટ્સ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે હાલના કેસમાં ગંભીર લક્ષણો ઓછા જોવા મળી રહ્યા છે, તેથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

સાવચેતીના પગલાં

માસ્કનો ઉપયોગ: ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું.

હાથની સ્વચ્છતા: સમયાંતરે હાથ ધોવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો.

સોશિયલ ડિસ્ટન્સિંગ: શક્ય હોય ત્યાં લોકો વચ્ચે અંતર જાળવવું.

લક્ષણો પર ધ્યાન: શરદી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવો.

આ પણ વાંચો- આજથી બદલાશે આ નિયમો: PF, UPIથી લઈને ગેસ સિલિન્ડર સુધી, જાણો તમારી જેબ પર શું થશે અસર

MoneyControl News

MoneyControl News

First Published: Jun 01, 2025 11:00 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.