Ethanol blend: પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણથી વાહનોના એન્જિન ખરાબ થઈ રહ્યા છે અને માઈલેજ ઘટી રહ્યું છે તેવા સોશિયલ મીડિયા પરના દાવાઓને કેન્દ્ર સરકારે સચોટ રીતે ખોટા ઠેરવ્યા છે. ઓઈલ એન્ડ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આવા દાવાઓમાં કોઈ સત્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈથેનોલ મિશ્રણથી એન્જિન પર કોઈ ખરાબ અસર થતી નથી, અને માઈલેજ ઘટવાની વાત પણ ખોટી છે.