જાણીતા સાહિત્યકાર, વિચારક અને પ્રભાવશાળી વક્તા ગુણવંત શાહને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય રત્ન એવોર્ડ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે સુસંસ્કૃત સમાજના નિર્માણમાં વિચારશીલ કલાસર્જકોની ભૂમિકા ઘણી અગત્યની છે. અને તેમનું સન્માન કરવું એ હું મારું સૌભાગ્ય સમજું છું. ગુણવંતભાઈ અવિરત પણે ઉત્તમ સાહિત્યનું સર્જન કરતા રહે તેવી હું હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.



