Adani Group ના સ્ટૉકમાં આવી જોરદાર તેજી, જાણો શું છે કારણ - Adani Groups stock has soared, know what is the reason | Moneycontrol Gujarati
Get App

Adani Group ના સ્ટૉકમાં આવી જોરદાર તેજી, જાણો શું છે કારણ

Adani Group News: હિંડનબર્ગના ઝટકાને કારણે અદાણી ગ્રૂપના શેરમાં ભારે વધઘટ શરૂ થઈ હતી પરંતુ હવે તે છેલ્લા કેટલાક સમયથી સતત અસ્થિરતામાં છે તેથી એક્સચેન્જે સર્કિટ બદલવાનો નિર્ણય કર્યો છે. જોકે, તે પછી પણ એક્સચેન્જ આ શેરોની હલચલ પર નજર રાખશે અને તેમાં આગળ પણ ફેરફાર થઈ શકે છે. શેરોમાં ભારી વઘ-ઘટને રોકવા માટે એક્સચેન્જ એક લિમિટ નક્કી કરે છે અને તે લિમિટ શેર ઈન્ટ્રા-ડેમાં ક્રોસ કરી શકતા નથી.

અપડેટેડ 01:44:45 PM Jun 07, 2023 પર
Story continues below Advertisement
અદાણી પાવરના સિવાય જે ત્રણ શેરોની સર્કિટમાં બદલાવ થયો છે, તેમાંથી ફક્ત એક આજે રેડ ઝોનમાં છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Adani Group News: અદાણી ગ્રુપની ચાર કંપનીઓ-અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy), અદાણી ટ્રાંસમિશન (Adani Transmission), અદાણી વિલ્મર (Adani Wilmar) અને અદાણી પાવર (Adani Power) ની સર્કિટ લેવલમાં મોટા બદલાવ થયા છે. તેની અસર આજે શેરોની ચાલ પર દેખાય રહી છે. બીએસઈએ અદાણી પાવરને છોડીને બાકી ત્રણ શેરોની સર્કિટ 5 ટકાથી વધારીને 10 ટકા કરી દીધી છે તો અદાણી પાવરની સર્કિટ 5 ટકાથી સીધા 20 ટકા પર કરી દેવામાં આવી છે. તેના ચાલતા અદાણી પાવર બીએસઈ પર ઈંટ્રા-ડેમાં 7 ટકા ઉછળીને 281.70 રૂપિયા પર પહોંચી ગયા. હાલમાં તે 4.11 ટકાના વધારાની સાથે 273.80 રૂપિયા પર છે.

    બાકી ત્રણ શેરોની શું છે સ્થિતિ

    અદાણી પાવરના સિવાય જે ત્રણ શેરોની સર્કિટમાં બદલાવ થયો છે, તેમાંથી ફક્ત એક આજે રેડ ઝોનમાં છે. અદાણી ટ્રાંસમિશનની વાત કરીએ તો તે 3.54 ટકા ઉછળીને 845 રૂપિયા પર પહોંચી ગયા અને અદાણી વિલ્મર પણ 2.87 ટકા ઉછળીને 442 રૂપિયા પર પહોંચી ગયા. હાલમાં અદાણી ટ્રાંસમિશન 1.93 ટકાના વધારાની સાથે 831.85 રૂપિયા અને અદાણી વિલ્મર 1.19 ટકાના ઉછાળાની સાથે 434.75 રૂપિયા પર છે. જ્યારે બીજી તરફ અદાણી ગ્રીન હાલમાં બીએસઈ પર 0.73 ટકાના ઘટાડાની સાથે 985.65 રૂપિયા પર છે પરંતુ ઈંટ્રાડે માં તે 1.47 ટકા ઉછળીને 1007.45 રૂપિયા પર પહોંચી ગયા હતા.


    ઘરેલુ ઈકોનૉમી પર આધારિત સ્ટૉક લાગી રહ્યા, મેટલ અને આઈટી સ્ટૉક્સથી રહો દૂર

    Adani Group ના ચાર શેરોની કેમ બદલી સર્કિટ

    હિંડનબર્ગના ઝટકાને કારણે અદાણી ગ્રૂપના શેરમાં ભારે વધઘટ શરૂ થઈ હતી પરંતુ હવે તે છેલ્લા કેટલાક સમયથી સતત અસ્થિરતામાં છે તેથી એક્સચેન્જે સર્કિટ બદલવાનો નિર્ણય કર્યો છે. જોકે, તે પછી પણ એક્સચેન્જ આ શેરોની હલચલ પર નજર રાખશે અને તેમાં આગળ પણ ફેરફાર થઈ શકે છે.

    શેરોમાં ભારી વઘ-ઘટને રોકવા માટે એક્સચેન્જ એક લિમિટ નક્કી કરે છે અને તે લિમિટ શેર ઈન્ટ્રા-ડેમાં ક્રોસ કરી શકતા નથી. જેમ કે અદાણી પાવરની વાત કરીએ તો તેના માટે સર્કિટ લેવલ હવે 20 ટકા છે તો તે એક દિવસ પહેલા બંધ ભાવના મુકાબલે ઈન્ટ્રા-ડે માં 20 ટકાથી વધારે નીચે નહીં ઘટી શકે અને 20 ટકાથી વધારે ઊપર નહીં ઉછળી શકે. એક્સચેંજ શેરોના મૂવમેંટ અને વોલેટિલિટીને ટ્રેક કરે છે અને તેના આધાર પર સર્કિટના રિવ્યૂ કરે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 07, 2023 1:44 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.