Gainers & Losers: તેજીના બજારમાં આ 10 શૅર્સમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી
શૅરબજારમાં સોમવારે એકંદર તેજી રહી હતી. વૈશ્વિક પરિબળોનો પણ ટેકો રહ્યો હતો. જોકે, તેજીના બજારમાં પણ અમૂક શૅર્સમાં મહત્વના અપડેટ્સને લીધે નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી
સોમવારે સેન્સેક્સ 110.09 પોઈન્ટ્સ (0.17 ટકા) વધીને 64,996.60ના સ્તરે અને નિફ્ટી 40.20 પોઈન્ટ્સ (0.21 ટકા) વધીને 19,306ના સ્તરે બંધ રહ્યો હતો. કુલ 1,992 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા. 1,635 કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા અને 156 કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા.
સેન્ટ ગોબૈઈન સિકુરીટ
કંપનીના શૅરમાં સત્ર દરમિયાન પાંચ ટકા જેટલો વધારો થયો હતો કારણ કે પેરેન્ટ કંપની સેન્ટ-ગોબૈઈન ઈન્ડિયા (એસજીઆઈ)એ કહ્યું કે તે ભારતીય કામકાજમાં આઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીના ચેરમેન બી સંથનમે કહ્યું કે કંપની સૂચિત રકમમાંથી 90 ટકા મૂડીખર્ચ માટે અને બાકીનો ભાગ હસ્તગત માટે વાપરશે. તાજેતરમાં જ કંપનીએ સ્ટોન વુલ ઉત્પાદક રોકવુલ ઈન્ડિયા અને ગ્લાસ વુલ ઉત્પાદક ત્વિગાને હસ્તગત કરી છે.
પટેલ એન્જિનિયરિંગ
સોમવારે કંપનીના શૅરને પાંચ ટકાની અપર સર્કીટ લાગી હતી કારણ કે કંપની અને તેમના જોઈન્ટ વેન્ચરને અરૂણાચલ પ્રદેશમાં દિબંગ મલ્ટીપર્પસ પ્રોજેક્ટ માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. ઓર્ડરમાં હેડ રેસ ટનલ્સ, પ્રેશર સાફ્ટ, પેનસ્ટોક્સ, પાવરહાઉસ અને ટ્રાન્સફોર્મર કેવરીન, ટેલ રેસ ટનલ્સ, પોથહેડ યાર્ડ વગેરેનું કન્સ્ટ્રક્શન કરવાનો સમાવેશ છે. કોન્ટ્રેક્ટ મૂલ્ય 3,637.12 કરોડ રૂપિયા છે.
મન્નાપુરમ ફાઈનાન્સ
કંપનીનો શૅર સત્ર દરમિયાન ત્રણ ટકા વધ્યો હતો. કંપનીએ એક્સચેન્જોને જણાવ્યુ કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર વીપી નંદકુમાર ઉપર એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જે કેસ કરયો હતો તે કેરળ હાઈ કોર્ટે રદ કર્યો છે.
માન ઈન્ફ્રાકન્સ્ટ્રક્શન
કંપનીને મુંબઈના પશ્ચિમી પરામાં રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મળતા શૅર ભાવ 10 ટકા વધ્યો હતો. એમઆઈસીએલ ગ્રુપે કહ્યું કે કંપનીને મુંબઈમાં પશ્ચિમી પરામાં સૌથી ટો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મળ્યો છે, જેમાં 17 લાખ સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનો સમાવેશ છે. આ પ્રોજેક્ટને ટેકે કંપનીને આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ રૂપિયાનો ફાયદો થશે.
સીસીએલ પ્રોડકટ્સ
કંપનીના શૅરમાં બે ટકાનો ઘટાડો થયો હતો કારણ કે કંપનીનો મુખ્ય ઈક્વિપમેન્ટ વિયેટનામમાં બંધ પડ્યો હતો. આ બ્રેકડાઉનને લીધે ચોખ્ખા નફામાં છથી 10 ટકાની પ્રતિકૂળ અસર પડી શકે છે. કંપનીએ કહ્યું કે ઈન્સ્યોરન્સ કવરથી અમૂક નુકસાન ભરપાઈ થશે પરંતુ કામકાજ ફરી સામાન્ય થાય એ પછી જ ખબર પડશે કે નુકસાન કેટલુ થયુ.
ઈન્ડોસ્ટાર
કંપનીનો શૅર સત્રની પ્રારંભમાં જ પાંચ ટકા જેટલો વધી ગયો હતો કારણ કે તેમણે પોતાની કોર્પોરેટ લોન બુકમાંથી નોંધપાત્ર પોર્શનનું વેચાણ ફિનિક્સ એઆરસીને કરી હોવાની વાત કરી હતી. સ્ટેજ-2 અંતર્ગત છે ખાતા આવે છે તે ફિનિક્સને આપવામાં આવ્યા હતા જેનું મૂલ્ય 915 કરોડ રૂપિયા છે. આગામી સમયમાં ફિનિક્સ એઆરસી એક ટ્રસ્ટની સ્થાપના કરશે જેથી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના પ્રોગ્રેસ ઉપર નજર રાખી શકાય અને તેને પુરો કરવા માટે ભંડોળ પુરુ પાડી શકાય.
ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ
કંપનીએ ડેમ્પો ગ્રુપ સાથે ડિલ કરી છે જેમાં તેઓ સંયુક્તપણે કમર્શિયલ જહાજ લોન્ચ કરશે. આ જહાજ ગોવા અને ભાવનગરના ત્રણ પ્રિમિયમ શિપયાર્ડમાં તૈયાર કરવામાં આવશે. આ જાહેરાત બાદ કંપનીના શૅર ભાવમાં બે ટકાનો વધારો થયો હતો. કંપનીનું કમર્શિયલ જહાજ સેગમેન્ટમાં આ નોંધપાત્ર પગલુ છે અને ગામી સમયમાં બજાર હિસ્સો વધી શકે છે. સત્ર દરમિયાન કંપનીનો શૅર બાવન સપ્તાહની નવી ટોચને પણ સ્પર્શયો હતો.
વોડાફોન આઈડિયા
આઠ હજાર ઓપ્શિનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સને રિડપ્શન કરવાનું લંબાવવા માટે વોડાફોન આઈડિયા લિમિટેડ અને અમેરિકન ટાવર કોર્પોરેશન (એટીસી) સંમત થતા કંપનીનો શૅર સત્ર દરમિયાન સાડા ત્રણ ટકા જેટલો વધ્યો હતો. ફેબ્રુઆરીમાં કંપનીના શૅરધારકોને વેન્ડર એટીસીના માદ્યમે 1,600 કરોડ રૂપિયાના ઓપ્શીનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ પ્રેફરેન્શિયલ ધોરણે કરવા માટે મંજૂરી આપી હતી. હવે ફાળવણીની ટાઈમલાઈન છ મહિનાથી વધારીને 18 મહિના કરવામાં આવી છે.
આયઆરસીટીસી
સત્ર દરમિયાન કંપનીનો શૅર ત્રણ ટકા જેટલો વધ્યો હતો કારણ કે કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે શૅરદીઠ બે રૂપિયા ડિવિડંડની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે કંપનીએ નાણા વર્ષ-23માં શૅરદીઠ કુલ 5.5 રૂપિયા ડિવિડંડની ચૂકવણી કરી છે.
પેટીએમ
પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકશન્સ લિ.ના શૅરમાં સત્ર દરમિયાન બે ટકા જેટલો ઘટાડો થયો હતો કારણ કે એન્ટ ગ્રુપે પોતાના હજી હિસ્સાનું વેચાણ કર્યું છે. ચીનના અબજોપતિ જેક માના એન્ટ ગ્રુપની ઈનવેસ્ટમેન્ટ એન્ટીટી એન્ટફિન (નેધરલેન્ડ્સ) હોલ્ડિંગ બીવીએ પેટીએમમાંથી 3.59 ટકા હિસ્સાનું વેચાણ 2,039 કરોડ રૂપિયામાં કર્યું છે. એન્ટફિને 2.27 કરોડ ઈક્વિટી શૅર્સનું વેચાણ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનન્સના માધ્યમે પ્રતિ શૅર 895.20ના સરેરાશ ભાવે કર્યું હતું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.