નાણા બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ વર્ષ ૨૦૦૩-૦૫ દરમિયાન ૨૧ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)માં જે ગેરરિતી થઈ હતી, તેમાંથી રિકવર કરેલા ગેરકાયદેસર નાણાનું વિતરણ રોકાણકારોમાં કરવાની શરૂઆત કરી છે. નાણા વિતરણનો આ ત્રીજો તબક્કો છે.
સેબીએ પ્રેસ રિલીઝના માધ્યમે જણાવ્યું કે ૨.૫૮ લાખ રોકાણકારોને રૂ.૧૪.૮૭ કરોડનું વિતરણ કરવાની ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. ૨,૫૮,૩૦૧ રોકાણકારોમાંથી ૧,૧૫,૪૬૫ રોકાણકારોને સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવશે. જ્યારે ૧,૪૨,૮૩૬ રોકાણકારોને આંશિક ચૂકવણી કરવામાં આવશે.
હવે ત્રીજા તબક્કામાં રોકાણકારોની બૅન્કની વિગતો મળ્યા બાદ રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવશે. જો બૅન્ક ખાતાની વિગતો ન હોય તો પેમેન્ટ વોરન્ટ સરનામામાં મોકલવામાં આવશે. પાત્ર રોકાણકારોની યાદી સેબીની વેબસાઈટમાં ઉપલબ્ધ છે. જે રોકાણકારોને નાણા ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં મળે નહીં તેઓ સેબીની બીકેસી સ્થિત ઓફિસ અથવા વિક્રોલી સ્થિત ફેસિલીટેટર રજીસ્ટ્રાર- ટીએસઆર કન્સલટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસે જઈ શકે છે.