Cyient Share Price: જોરદાર માર્ચે ક્વાર્ટર પર એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સૉલ્યુશન્સ કંપની Cyientનો શેર આજે 9 ટકાથી વધુ ઉછળ્યો હતો. માર્ચ 2023 ક્વાર્ટર માટે મજબૂત પરિણામો અને મજબૂત ડિવિડન્ડની જાહેરાત પર આજે શેર્સની જોરદાર ખરીદી થઈ રહી છે. અનુમાનથી સારા પરિણામે કારણે બ્રોકરેજ પણ તેના પર દાવ લગાવી રહ્યા છે. ચેક કરો તેમાં રોકાણ માટે ટારગેટ પ્રાઈઝ શું છે.
આઈટી સર્વિસેજ આપતી એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સૉલ્યુશન્સ કંપની Cyientના શેરોમાં આજે ખરીદારીનો જોરદાર વલણ રહ્યો છે. માર્ચ 2023 ક્વાર્ટરમાં જોરદાર તેજી અને મજબૂત ડિવિડેન્ડની જાહેરાત પર તેના શેર આજે 9 ટકાતી વધું વધ્યો છે. તેના શેર ઇન્ટ્રા - ડે માં 1194.10 રૂપિયા પર પહોંચી ગઈ હતી. પ્રોફિટ બુકિંગને કારણે તે 4.54 ટકાની મજબૂતી સાથે 1141 રૂપિયા (Cyient Share Price) પર ટ્રેડ કરી રહ્યો છે. કંપની માટે માર્ચ 2023 આશાથી કર્યું વધું સારી રહી જેના કારણે શેરોને લઇને આકર્ષક દેખાઈ રહ્યો છે. બ્રોકરેજ પણ તેના પર દાંવ લગાવ્યો છે.
Cyient માટે કેવા રહ્યા માર્ચ ક્વાર્ટર
માર્ચ 2023 ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ રેવેન્યૂ ક્વાર્ટરના આધાર પર 8.2 ટકા અને વર્ષના આધાર પર 48 ટકા વધીને 1751 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ડૉલર ટર્મમાં તેના રેવેન્યૂ ક્વાર્ટરમાં તેના રેવેન્યૂ ક્વાર્ટરના આધાર પર 8.1 ટકા વધીને 21.3 કરોડ ડૉલર રહ્યો છે. કાન્સ્ટેન્ટ કરેન્સી રેવેન્યૂ ગ્રોથ ક્વાર્ટરના આધાર પર 6.6 ટકા અને વર્ષના આધાર પર 39.1 રહી છે. તેનો આબિટડા ક્વાર્ટરના આધાર પર લગભગ 17 ટકાથી વધીને 249 કરોડ રૂપિયા રહ્યો અને માર્જિન 1.06 ટકાથી વધીને 14.24 ટકા પર પહોંચી ગઈ છે.
તેના કંસોલિડેટેડ નેટ પ્રોફિટ ક્વાર્ટરના આધાર પર 4.5 ટકા અને વર્ષના આધાર પર 5.5 ટકાથી વધીને 163 કરોડ રૂપિયા પર પહોંચી ઘઈ તેના કંસોલિડેટેડ સર્વિસેઝ રેવેન્યૂ ક્વાર્ટરના આધાર પર 5 ટકા અને વર્ષના આધાર પર 47.3 ટકાથી વધીને માર્ચ ક્વાર્ટરમાં 1448.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
કંપનીએ 18.5 કરોડ ડૉલરનો પાંચ મોટી ડીલ પ્રાપ્ત કરી છે. તેના સિવાય કંપનીએ તેના સર્વિસ ઑફરિંગ્સ પોર્ટફોલિયોને વધારવા માટે ત્રણ સ્ટ્રેટજિક અધિગ્રહણ કર્યા છે અને નવા બજારોમાં એન્ટ્રી કરી છે. કંપનીને વિશ્વાસ છે કે માર્ચ 2024 ક્વાર્ટર સુધી કંપની 100 કરોડ ડૉલરના રેવેન્યૂ રન રેટને પ્રાપ્ત કરી લેશે. કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે 5 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા એક શેર પર 16 રૂપિયાના ફાઈનલ ડિવિડેન્ડની જાહેરાત કરી છે.
બ્રોકરેજનું શું છે વલણ
કંપનીના જોરદાર પરીણામ પર બ્રોકરેજ પમ ઉત્સાહિત છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે 1360 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ પર તેની ખરીદારી કરી રેટિંગને યથાવત રાખી છે. બ્રોકરેજના અનુસાર લગભગ તમામ ગ્રોથ ઇન્જન કંપની માટે સારો કામ કરી રહ્યા છે. એક વધું બ્રોકરેજ આઈડીબીઆઈ કેપિટલના અનુસાર નાણાકીય વર્ષ 2023-25માં એરોસ્પેસ વર્ટિકલમાં રિવાઈવલને કારણે તેના સર્વિસેઝ રેવેન્યૂ 13.3 ટકાના સીએજીઆર (કંપાઉન્ડ એનુઅલ ગ્રોથ રેટ)થી વધી ગઈ છે. જ્યારે આ સમય ગાળામાં આવરઑલ રેવેન્યૂ 15 ટકાના સીએજીઆરથી વધવાનો અનુમાન છે. આવામાં બ્રોકરેજ આઈડીબીઆઈ કેપિટલે તેણે 1265 રૂપિયાના ટારગેટ પર ખરીદારી રેટિંગ આપી છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.