સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે ચોમાસા અંગેની ભવિષ્યની આગાહી પર નજર રહેશે. સરકાર મોંઘવારી ઓછી કરવા બફર સ્ટોક ભેગો કરી શકે. હવે રોજગારી બિનકૃષિ ક્ષેત્ર તરફ વળી રહ્યા હોવાના સંકેત છે. વરસાદ ઓછો રહે તો ગ્રામિણ માગ પર અસર આવી શકે છે. બેન્કિંગની ચિંતાઓ બાદ USમાં વધુ વ્યાજદર નહીં વધે.
સુનિલ સુબ્રમણ્યમના મતે USમાં વ્યાજદર વધારો અટકે તો ભારત માટે સારી વાત છે. US, યુરોપમાં મંદી આવશે તો ક્રૂડમાં પણ ઘટાડો આવશે. વ્યાજદર વધતા અટકશે કે ઘટશે તો ડોલર પણ નબળો પડશે. RBIના વ્યાજદરના પણ હવે શિખર બની ગયા હોય એવું લાગે છે. Q4ના પરિણામ નબળા રહેશે, પણ ગાઈડન્સ પર નજર રાખવી.
સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે ઓર્ડર બૂકને આધારે 3-5 વર્ષના આધારે રોકાણ કરો. ઓટો અને કન્ઝયૂમર ડ્યુરેબલ પર બુલિશ છે. હાઉસિંગ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકાય. પરિણામની સિઝનમાં કંપનીઓની દિશા પર નજર રાખજો. ડોલર નબળો પડે, વ્યાજદર ઘટે ત્યારે ભારતમાં ફ્લો વધી શકે છે.
સુનિલ સુબ્રમણ્યમના મુજબ કૉમોડિટીના ભાવ ઘટે ત્યારે આયાતકારને ફાયદો થતો હોય છે. આવા સમયે રોકાણકારો ઈમર્જિગં માર્કેટ તરફ વળતા હોય છે. છેલ્લાં 3-4 વર્ષમાં રિટેલ લોનથી બેન્કિગને સપોર્ટ મળ્યો.