ભારતના આ નિર્ણયથી બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર તાત્કાલિક અસર દેખાશે, પરંતુ લાંબા ગાળે આ પગલું બંને દેશોના સંબંધોને કેવી રીતે અસર કરશે, તે ડિપ્લોમેટિક વાતચીત પર નિર્ભર કરશે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતે પોતાના હિતોનું રક્ષણ કરતાં સમયે પડોશી દેશ સાથે સંવાદ જાળવી રાખવો જોઈએ, જેથી રિજનલ સ્ટેબિલિટીને નુકસાન ન થાય.
ભારતના આ નિર્ણયથી ઘરેલુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને MSME સેક્ટરને નોંધપાત્ર ફાયદો થવાની આશા છે.
ભારતે બાંગ્લાદેશથી આયાત પર કડક પ્રતિબંધો લાદીને પડોશી દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો આપ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, જે તેની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે, પર મોટી અસર પડશે. આ પ્રતિબંધોને કારણે બાંગ્લાદેશમાં બેરોજગારી વધવાની અને આર્થિક સ્થિરતા ડગમગવાની શક્યતા છે, જ્યારે ભારતના ઘરેલુ ટેક્સટાઇલ ઉદ્યોગ, ખાસ કરીને MSME સેક્ટર,ને આનો ફાયદો થશે.
શું છે ભારતનો નિર્ણય?
17 મે, 2025ના રોજ ભારતે બાંગ્લાદેશથી લગભગ 77 કરોડ ડોલરની આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી, જે બંને દેશો વચ્ચેના કુલ આયાતનો 42% હિસ્સો ધરાવે છે. આ પ્રતિબંધ હેઠળ રેડીમેડ ગાર્મેન્ટ્સ, પ્રોસેસ્ડ ફૂડ અને પ્લાસ્ટિકની વસ્તુઓ જેવા મુખ્ય ઉત્પાદનોની આયાતને નિયંત્રિત કરવામાં આવી છે. ખાસ કરીને, 61.8 કરોડ ડોલરના રેડીમેડ ગાર્મેન્ટ્સની આયાત હવે માત્ર બે ભારતીય બંદરો દ્વારા જ થઈ શકશે, જેમાં સખત નિયમોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત, લેન્ડ બોર્ડર દ્વારા આવા ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાંગ્લાદેશના ભારત સાથેના સૌથી મહત્વના નિકાસ ચેનલને ગંભીર રીતે અસર કરશે, કારણ કે ભારત બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઉત્પાદનોનું મોટું માર્કેટ છે.
બાંગ્લાદેશને શું નુકસાન થશે?
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા મોટાભાગે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ નિકાસ પર નિર્ભર છે. નિષ્ણાતોના મતે, ભારતના આ પ્રતિબંધથી બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડશે અને બેરોજગારીમાં વધારો થશે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બાંગ્લાદેશમાં લાખો લોકોને રોજગારી આપે છે, અને આ પ્રતિબંધથી ઘણી નાની-મોટી ફેક્ટરીઓ પર તાળાં લાગવાનો ખતરો છે. આ ઉપરાંત, બાંગ્લાદેશના નિકાસકારો ચીનથી ડ્યૂટી-ફ્રી કાપડની આયાત અને સબસિડીનો લાભ લઈને ભારતીય બજારમાં 10-15%નો પ્રાઇસ એડવાન્ટેજ મેળવતા હતા, જે હવે ઘટશે.
ભારતને શું ફાયદો થશે?
ભારતના આ નિર્ણયથી ઘરેલુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને MSME સેક્ટરને નોંધપાત્ર ફાયદો થવાની આશા છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના કો-ફાઉન્ડર અજય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના નિકાસકારોને મળતો કોમ્પિટિટિવ એડવાન્ટેજ ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ચિંતાનો વિષય હતો. આ પ્રતિબંધથી ભારતીય MSME યુનિટ્સને પોતાની કોમ્પિટિટિવનેસ વધારવાની તક મળશે.
એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC)ના વાઇસ-ચેરમેન એ. શક્તિવેલે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે આ પગલું ભારતીય નિકાસકારોની લાંબા સમયથી ચાલી આવતી માંગને પૂર્ણ કરે છે. શક્તિવેલે એમ પણ કહ્યું કે આ પ્રતિબંધ બાંગ્લાદેશ દ્વારા ભારતીય યાર્ન, ચોખા અને અન્ય વસ્તુઓ પર લગાવવામાં આવેલા નિકાસ પ્રતિબંધોના જવાબમાં લેવાયો છે.
બાંગ્લાદેશની ચીન સાથે નિકટતા
GTRIના અજય શ્રીવાસ્તવે જણાવ્યું કે બાંગ્લાદેશની ચીન સાથે વધતી નિકટતા ચિંતાનો વિષય છે, પરંતુ ભારતે ડિપ્લોમસીના દરવાજા બંધ ન કરવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એક મોટા પડોશી અને રિજનલ પાવર તરીકે ભારતે ધીરજ રાખીને લીડરશિપ દર્શાવવી જોઈએ. ડિપ્લોમેટિક પ્રયાસો અને આર્થિક સહયોગ દ્વારા બંને દેશો વચ્ચે ફરીથી વિશ્વાસનું વાતાવરણ ઊભું કરી શકાય છે.